ઇન્દિરા એકાદશીએ અચૂક અજમાવો આ ઉપાય ! પ્રસન્ન પિતૃઓ દેશે આર્થિક સમૃદ્ધિના આશીર્વાદ !

કહે છે કે શ્રાદ્ધપક્ષમાં (Shradhpaksh) આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને પિતૃઓની કૃપા તો મળે જ છે. સાથે જ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે બ્રહ્મ ભોજન કરાવી દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

ઇન્દિરા એકાદશીએ અચૂક અજમાવો આ ઉપાય ! પ્રસન્ન પિતૃઓ દેશે આર્થિક સમૃદ્ધિના આશીર્વાદ !
Lord vishnu (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Sep 20, 2022 | 6:11 AM

એકાદશી (Ekadashi) એટલે તો ભગવાન વિષ્ણુની (Lord vishnu) કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાની પ્રાપ્તિ માટે લોકો એકાદશીના ઉપવાસ કરતા હોય છે. સાથે જ પીપળાના વૃક્ષની પણ સેવાપૂજા કરતા હોય છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તો પિતૃઓની (Pitru) પણ વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. પિતૃપક્ષમાં આવતી ઇન્દિરા એકાદશી આ વખતે 21 સપ્ટેમ્બર 2022, બુધવારના રોજ આવશે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી આપની આર્થિક સમસ્યાનો અંત આવશે. સાથે જ આપને પિતૃ સંબંધિત દોષમાંથી પણ મુક્તિ મળશે. આ ઉપાયો દ્વારા આપ મેળવી શકશો ભગવાન વિષ્ણુના આશીર્વાદ.

કહે છે કે શ્રાદ્ધપક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને પિતૃઓની કૃપા તો મળે જ છે. સાથે જ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને આપની શક્તિ મુજબ દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય ખૂબ લાભદાયી છે. ઇન્દિરા એકાદશીના રોજ આ ઉપાયો કરવાથી આપની આર્થિક સમસ્યાનો આવશે અંત અને પિતૃઓના આશિષની વર્ષા થશે.

સૌભાગ્ય પ્રાપ્તિ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઇન્દિરા એકાદશીના દિવસે સૂર્યાસ્ત સમયે તુલસી સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને “ૐ વાસુદેવાય નમઃ ” મંત્રનો જાપ કરતા કરતા તુલસીજીની પરિક્રમા કરવી. માન્યતા તો એવી પણ છે કે આ ઉપાય કરવાથી આપના સૌભાગ્યમાં અભિવૃદ્ધિ થાય છે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે.

ઋણમુક્તિના આશિષ

દેવામાં ડૂબેલા લોકોએ ઇન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવા માટે પીળા રંગના પુષ્પ, પીળા ફળ, પીળા વસ્ત્ર, અડદની દાળનો ઉપયોગ કરવો. ત્યારબાદ આ સામગ્રીને ગરીબો અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી દેવી. આ કાર્ય કરવાથી આપના દેવામાં ઘટાડો થાય છે.

દરિદ્રતાથી મુક્તિ

ગરીબી, નિર્ધનતા દૂર કરવા માટે ઇન્દિરા એકાદશીના દિવસે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરીને પિતૃઓની આત્માને શાંતિ મળે તે માટેની પ્રાર્થના કરવી. સાથે જ આપની દરિદ્રતા દૂર થાય તેની પણ પ્રાર્થના કરવી.

નકારાત્મક ઊર્જાથી મુક્તિ

ઇન્દિરા એકાદશીના દિવસે ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા તેમજ ભજન-કીર્તન કરવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. પરિવારનો કલેશ દૂર થાય છે. દરેક કાર્યોમાં સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">