AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇન્દિરા એકાદશીએ અચૂક અજમાવો આ ઉપાય ! પ્રસન્ન પિતૃઓ દેશે આર્થિક સમૃદ્ધિના આશીર્વાદ !

કહે છે કે શ્રાદ્ધપક્ષમાં (Shradhpaksh) આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને પિતૃઓની કૃપા તો મળે જ છે. સાથે જ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે બ્રહ્મ ભોજન કરાવી દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

ઇન્દિરા એકાદશીએ અચૂક અજમાવો આ ઉપાય ! પ્રસન્ન પિતૃઓ દેશે આર્થિક સમૃદ્ધિના આશીર્વાદ !
Lord vishnu (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Sep 20, 2022 | 6:11 AM
Share

એકાદશી (Ekadashi) એટલે તો ભગવાન વિષ્ણુની (Lord vishnu) કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાની પ્રાપ્તિ માટે લોકો એકાદશીના ઉપવાસ કરતા હોય છે. સાથે જ પીપળાના વૃક્ષની પણ સેવાપૂજા કરતા હોય છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તો પિતૃઓની (Pitru) પણ વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. પિતૃપક્ષમાં આવતી ઇન્દિરા એકાદશી આ વખતે 21 સપ્ટેમ્બર 2022, બુધવારના રોજ આવશે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી આપની આર્થિક સમસ્યાનો અંત આવશે. સાથે જ આપને પિતૃ સંબંધિત દોષમાંથી પણ મુક્તિ મળશે. આ ઉપાયો દ્વારા આપ મેળવી શકશો ભગવાન વિષ્ણુના આશીર્વાદ.

કહે છે કે શ્રાદ્ધપક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને પિતૃઓની કૃપા તો મળે જ છે. સાથે જ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને આપની શક્તિ મુજબ દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય ખૂબ લાભદાયી છે. ઇન્દિરા એકાદશીના રોજ આ ઉપાયો કરવાથી આપની આર્થિક સમસ્યાનો આવશે અંત અને પિતૃઓના આશિષની વર્ષા થશે.

સૌભાગ્ય પ્રાપ્તિ

ઇન્દિરા એકાદશીના દિવસે સૂર્યાસ્ત સમયે તુલસી સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને “ૐ વાસુદેવાય નમઃ ” મંત્રનો જાપ કરતા કરતા તુલસીજીની પરિક્રમા કરવી. માન્યતા તો એવી પણ છે કે આ ઉપાય કરવાથી આપના સૌભાગ્યમાં અભિવૃદ્ધિ થાય છે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે.

ઋણમુક્તિના આશિષ

દેવામાં ડૂબેલા લોકોએ ઇન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવા માટે પીળા રંગના પુષ્પ, પીળા ફળ, પીળા વસ્ત્ર, અડદની દાળનો ઉપયોગ કરવો. ત્યારબાદ આ સામગ્રીને ગરીબો અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી દેવી. આ કાર્ય કરવાથી આપના દેવામાં ઘટાડો થાય છે.

દરિદ્રતાથી મુક્તિ

ગરીબી, નિર્ધનતા દૂર કરવા માટે ઇન્દિરા એકાદશીના દિવસે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરીને પિતૃઓની આત્માને શાંતિ મળે તે માટેની પ્રાર્થના કરવી. સાથે જ આપની દરિદ્રતા દૂર થાય તેની પણ પ્રાર્થના કરવી.

નકારાત્મક ઊર્જાથી મુક્તિ

ઇન્દિરા એકાદશીના દિવસે ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા તેમજ ભજન-કીર્તન કરવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. પરિવારનો કલેશ દૂર થાય છે. દરેક કાર્યોમાં સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">