અજમાવી લો આ 5 સરળ ઉપાય, શિવજી વાસ્તુદોષ દૂર કરી સુખી જીવનનું દેશે વરદાન !

સોમવારની પૂજામાં શિવલિંગ (Shivling) પર ગંગાજળનો અભિષેક (Abhishek) અવશ્ય કરવો. તેનાથી ભોળાનાથ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. તો સાથે જ ઘરમાં નિયમિત રીતે ગંગાજળનો છંટકાવ કરવાથી વાસ્તુદોષ (Vastudosh) પણ દૂર થાય છે અને પરિવારમાં સુખ-શાંતિમાં વૃદ્ધિ થાય છે.

અજમાવી લો આ 5 સરળ ઉપાય, શિવજી વાસ્તુદોષ દૂર કરી સુખી જીવનનું દેશે વરદાન !
Lord Shiv (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 18, 2022 | 6:26 AM

શિવજીની (Shivji) ભક્તિ માટે શ્રેષ્ઠ દિવસ છે સોમવાર. હવે, સોમવારનો દિવસ હોય અને આપણે ભગવાન શિવનું (lord shiva) ધ્યાન ન ધરીએ એ તો કેમ ચાલે ! એમાં પણ આ સોમવારના (monday remedies) રોજ થતાં શિવજી સંબંધી કેટલાંક ઉપાયો આપને વિધ વિધ પ્રકારના વાસ્તુદોષથી (vastu dosh) પણ મુક્તિની પ્રાપ્તિ કરાવી શકે છે. આપના ઘરમાં દરેક વસ્તુઓ યોગ્ય સ્થાન પર હોય છતા આપને કેટલીક સમસ્યાઓ સતાવતી હોય. આપને એવું લાગતું હોય કે આપના ઘરમાં વાસ્તુ સંબંધિત સમસ્યાઓ છે તો આ સમસ્યાઓમાંથી બહાર નિકળવાનો માર્ગ છે સોમવારે કરવામાં આવતા શિવજીના વિશેષ ઉપાયો. માન્યતા અનુસાર જે વ્યક્તિ આ ઉપાયો સોમવારના દિવસે અજમાવશે તેના ઘરમાં રહેલ વાસ્તુદોષમાંથી તેને મુક્તિ મળી જશે. એવું પણ માનવામાં આવે છે કે સોમવારના દિવસે અહીં જણાવેલ ઉપાય કરવાથી વ્યક્તિને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

શિવજીની ભક્તિ માટે સોમવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. સોમવારે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને તમામ સુખની પ્રાપ્તિ થાય છે. સોમવારના દિવસે શિવ ખૂબ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને એ જ પ્રસન્નતાની સકારાત્મક ઊર્જા ભક્તના જીવનને પણ ખુશીઓથી ભરી દે છે. શાસ્ત્રોમાં આવા જ કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેના ઉપયોગથી ઘરના વાસ્તુદોષને દૂર કરી શકાય છે. આવો તો જાણીએ એ સરળ અને સચોટ ઉપાયો.

ગંગાજળનો છંટકાવ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શિવજીને તેમની જટામાં રહેલ ગંગાજી ખૂબ પ્રિય છે. એટલે સોમવારની પૂજામાં શિવલિંગ પર ગંગાજળનો અભિષેક અવશ્ય કરવો. તેનાથી ભોળાનાથ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ અપાવે છે. દર સોમવારે આખા ઘરમાં નિયમિત રીતે ગંગાજળનો છંટકાવ કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે સાથે જ પરિવારમાં સુખ-શાંતિમાં વૃદ્ધિ થાય છે.

ઘરમાં પાણીનો ફુવારો

આપના ઘરમાં કૃત્રિમ પાણીના ફૂવારા જેવા જળ સ્ત્રોતને ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. નકારાત્મકતા દૂર થાય છે. તેનાથી આપના નસીબ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય.

શારિરીક-માનસિક સ્વસ્થતા અર્થે

જો તમે સારા સ્વાસ્થ્યનું વરદાન અને ઘરમાં રહેલી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા ઇચ્છતા હોવ તો સોમવારના દિવસે ઘરના ઈશાન ખૂણામાં રુદ્રાભિષેક કરો. આ ઉપાય કરવાથી આપના ઘર-પરિવાર પર રહેલી પરેશાનીઓ દૂર થાય છે તેમજ પરિવારના લોકો શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહે છે.

આર્થિક સમસ્યામાંથી મુક્તિ અર્થે 

આપના ઘરમાં રહેલ આર્થિક સંકટને દૂર કરવા માટે ઘરની પૂર્વ દિશામાં બીલીપત્રનો છોડ ઉગાડીને નિત્ય તેની સેવા કરવી જોઇએ. દરરોજ તે છોડમાં જળ અર્પણ કરો તેમજ નિત્ય સાંજે ઘીનો દીવો કરો. આ પ્રકારનો ઉપાય કરવાથી આપને જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો નહીં કરવો પડે. માતા લક્ષ્મીની કૃપા આપની પર સદાય વરસતી રહેશે.

લગ્નમાં વિલંબ દૂર કરવા

સોમવારના દિવસે જો અપરિણીત યુવતીઓ ઘરમાં તુલસીનો છોડ લગાવે છે તો ઝડપથી તે યુવતીની કુંડળીમાં લગ્નયોગ સર્જાય છે. તુલસીને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. એટલે ઘરની ઉત્તર દિશામાં તુલસીના છોડને લગાવવો શુભ માનવામાં આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">