AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravan 2021: શ્રાવણના ત્રીજા સોમવારે કેવી રીતે કરશો ઘરે બેઠા જ શિવજીનું પૂજન ?

આ મહામારીના સમયમાં શિવજીની ભક્તિ માટે શિવાલય જવું જરૂરી નથી, બસ શિવમય બનવું જરૂરી છે. જો ઘરે પારાના શિવલિંગની પૂજા કરવામાં આવે તો તે ઉત્તમ છે. ઘરે બેઠાં જ શ્રદ્ધાથી શ્રાવણના ત્રીજા સોમવારે શિવ પૂજન કરવામાં આવે તો અવશ્ય શિવજીની કૃપા વરસે છે.

Shravan 2021: શ્રાવણના ત્રીજા સોમવારે કેવી રીતે કરશો ઘરે બેઠા જ શિવજીનું પૂજન ?
ઘરે બેઠા જ કરો શિવજીનું પૂજન !
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 22, 2021 | 6:41 PM
Share

શ્રાવણના(Shravan) દરેક સોમવારે શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. પણ આ મહામારીના સમયમાં દરેક શિવભક્ત માટે શિવાલયમાં જઈને શિવભક્તિ કરવી શક્ય પણ નથી. કારણકે આપને નિયમોના બંધનમાં છીએ. અને સ્વાસ્થ્ય માટે સાવચેતી રાખવી પણ જરૂરી છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે આપ ઘરે બેઠા કેવી રીતે શિવજીની પૂજા કરી શકો. એટલું જ નહીં, તેના નિયમો પણ આપને જણાવીશું. અમે આ લેખમાં આપને જણાવીશું કે ઘરે પૂજા કરવા માટે કેવા પ્રકારનું શિવલીંગ ઉત્તમ કહેવાય . કહેવાય છે કે શિવજીની ભક્તિ માટે શિવાલય જવું જરૂરી નથી, બસ શિવમય બનવું જરૂરી છે. શિવપુરાણના આધારે કહેવાય છે કે અપૂજ્ય શિવલિંગની જો પૂજા કરવામાં આવે તો સોમયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. તો શિવપુરાણ અનુસાર ધાતુ, પથ્થર, સ્ફટિક અને પારાનું શિવલિંગ પૂજા માટે ઉત્તમ કહ્યું છે. પણ જે શિવભકત ગૃહસ્થાશ્રમમાં રેહ છે તે પારાના શિવલિંગની પૂજા કરે તે ઉત્તમ છે.

ઘરે જ ત્રીજા સોમવારની વિશેષ પૂજા માટે અને મહાદેવે પ્રસન્ન કરવા માટે નીચે દર્શાવેલી બાબતો અવશ્ય કરવી. ⦁ સોથી પહેલાં તો ત્રીજા સોમવારે શિવમય બનવા માટે સ્નાન કરી કેસરી પિતાંબર ધારણ કરવું. ⦁ ત્યારબાદ શિવજીને અતિ પ્રિય એવાં ભસ્મનું તિલક કરવું. આપ કપાળ, ગળા, હ્દય, બાહુ ,કોણી, કાંડુ, પેટ, પગ પર શિવાર્ચન કરી શકો છો. ⦁ શિવ પૂજન માટે સૌ પ્રથમ 1 બાજોઠ લો. ⦁ ત્યારબાદ બાજોઠ પર સફેદ આસન મૂકવું ⦁ આપ ઘરે જ ચોખાનું શિવલિંગ બનાવી શકો છો. ⦁ સાથએ જ શ્રીફળ મૂકી સંપૂર્ણ શિવપરિવારનો ફોટોમૂકવો. ⦁ ત્યારબાદ તાંબાના પાત્રમાં ગણેશજી સાથે શિવજીનું સ્થાપન કરવું. ⦁ શિવલિંગની શોડ્ષોપચાર પૂજા કરવી જોઈએ. ⦁ અને અંતે શિવજીને ભોગ લગાવવો અને આરતી કરવી. ⦁ છેલ્લે દંડવત્ પ્રણામ કરી પૂજા દરમિયાન અજાણતાં થયેલી ભૂલની માફી માગવી જોઈએ.

શ્રાવણ માસ દરમિયાન કેટલીક બાબતની તકેદારી રાખવી જરૂરી રહેતા હોય છે પણ જો આપ સંપૂર્ણ શ્રાવણ દરમિયાન નિયમો નથી પાળી શકતા તો સોમવારે તો અચૂક પાળો. ⦁ સોમવારે શ્રદ્ધાથી શિવપૂજન કરવું. ⦁ પૂજા કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવું ⦁ તો ભોજનમાં રીંગણ, કંદમૂળ, લસણ અને ડુંગળીનું સેવન ન કરો. ⦁ શક્ય હોય તો અડદ કે તેની વસ્તુથી બનતી વાનગીનો ત્યાગ કરવો ⦁ સોમવારે આપ એકટાણું કરી શકો છો અને જો થઈ શકે તો નિર્જળા ઉપવાસ કરવો. ⦁ યાદ રહે સોમવારે ભૂલથી પણ આપ કોઈની નિંદા ન કરી બેસો. ⦁ શ્રાવણના સોમવારે વાળ અને નખ ન કાપવા જોઈએ.

Follow Us
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
g clip-path="url(#clip0_868_265)">