
હોળીના તહેવાર પહેલા ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને ‘રંગભરી એકાદશી’ અથવા ‘આમલકી એકાદશી’ કહેવામાં આવે છે. વર્ષ 2026માં આ શુભ તિથિ 27 ફેબ્રુઆરી ના રોજ છે. માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની સાચા મનથી પૂજા કરવાથી જીવનમાં ખુશીઓના રંગ ભરાઈ જાય છે.
મહત્વની વાત કે એકાદશીના દિવસે તુલસીમાં જળ ચડાવવું અને તેના પાન તોડવા વર્જિત છે. તેથી પૂજા માટેના પાન કે મંજરી એક દિવસ પહેલા જ તોડી લેવા જોઈએ.
સાંજે તુલસીના ક્યારા પાસે શુદ્ધ ઘીના 11 દીવા પ્રગટાવો અને ‘મહાપ્રસાદ જનની…’ મંત્રનો 11 વાર જાપ કરો. આ ઉપાય મોટામાં મોટા સંકટને ટાળવાની શક્તિ ધરાવે છે.
જો તમે આર્થિક તંગીથી પરેશાન હોવ, તો ગાયના કાચા દૂધમાં તુલસીની મંજરી ભેળવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. તેનાથી સુખ-સમૃદ્ધિના દ્વાર ખુલે છે.
તુલસીના છોડના થડ પર પીળો કાચો દોરો અથવા કલાવો સાત વાર લપેટો. આમ કરતી વખતે તમારી મનોકામના મનમાં બોલતા રહો. ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય હોવાથી આ ઉપાયથી ઘરમાં શાંતિ સ્થપાય છે.
માનસિક શાંતિ અને પોઝિટિવિટી મેળવવા માટે તુલસીના ક્યારાની પવિત્ર માટીનો તિલક લગાવો. તેનાથી આત્મવિશ્વાસ અને ઉર્જામાં વધારો થાય છે.
એકાદશીએ તુલસીને જળ તો ન ચડાવી શકાય, પરંતુ એક પાત્રમાં શુદ્ધ જળ લઈ તેમાં તુલસીના સૂકા પાન નાખીને તે પાણીનો આખા ઘરમાં છંટકાવ કરો. તેનાથી નકારાત્મક ઉર્જા અને દરિદ્રતાનો નાશ થાય છે.
Disclaimer: આ લેખ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની પુષ્ટિ કરતું નથી અને કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને સમર્થન આપતું નથી, વધુ માહિતી માટે તમારા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.