
શ્રાવણ મહિનાની સુદ પાંચમની તિથિ નાગ પંચમી કહેવાય છે. નાગને સમર્પિત આ તહેવાર બતાવે છે કે સાપ કે નાગ માત્ર ઝેરીલુ-ડરામણુ પ્રાણી જ નથી. આપણા સામાજિક જીવનમાં પણ તેમનુ મહત્વ છે. કોઈને-કોઈ રીતે તેઓ આપણા જીવન સાથે જોડાયેલા છે. ચાહે ખેતીથી લઈને પર્યાવરણની શુદ્ધતા સુધી સાપોનું યોગદાન તો છે જ. આ સાથે જ આપણી પૌરાણિક અને લોકકથાઓમાં પણ સાપનું મહત્વપૂર્ણ સ્થાન છે.
જ્યોતિષમાં સાપ અને નાગનો ઉલ્લેખ અલગ રીતે જ કરવામાં આવે છે. નવગ્રહોમાં રાહુના દોષથી પીડિત લોકો સાપની પૂજા કરે છે. જ્યોતિષ કહે છે કે દરેક ગ્રહના બે દેવતા હોય છે. જેમ રાહુના અધિેવા કાલ અને પ્રતિદેવતા નાગને માનવામાં આવે છે. આ જ કારણ છે કે જે લોકોની કુંડલીમં રાહુ દોષ હોય છે તેમને અધિદેવતા કાલ અને પ્રતિદેવતા સાપની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. જેને કાલ સર્પદોષ પૂજા કહે છે.
જ્યોતિષમાં સાપ રાહુ સાથે અને નક્ષત્રોની સાથે પણ છે. 27 નક્ષત્રોમાં આશ્લેષા નક્ષત્રના દેવતા પણ નાગદેવ છે. આશ્લેષા ના સ્વામી નાગ દેવને માનવામાં આવે છે. આ જ રીતે વરસાદી સિઝનમાં જ્યારે સૂર્ય રોહિણી માંથ હસ્ત નક્ષત્ર વચ્ચે યાત્રા કરે ચે તો આ નક્ષત્રોમાં થી એક વાહન સાપ પણ હોય છે અને આ જ વાહનોને આધારે જ્યોતિષી વરસાદ આવવો, ન આવવો, ઓછો થવો કે વધુ થવાનું અનુમાન લગાવે છે.
નાગોનું વર્ણન પ્રાચીન કાળથી મનુષ્યોના ઈતિહાસમાં સામેલ છે. અનેક પૌરાણિક કથાઓમાં નાગ એક કિરદારની જેમ છે. રામાયણમાં વિષ્ણુ અવતાર ભગવાન શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણ અને મહાભારતમાં શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામ શેષનાગના અવતાર છે. રામાયણમાં જ રાવણના પુત્ર મેઘનાદની પત્ની સુલોચના, નાગકન્યા હતા અને શેષનાગની પુત્રી હતી. સુરસા રાક્ષસીને નાગોની માતા દર્શાવાઈ છે.
આ જ પ્રકારે મહાભારતમાં અર્જુન નાગકન્યા ઉલૂપી સાથે વિવાહ કરે છે. અર્જુનના પુત્ર પરીક્ષિત તક્ષક નાગના ડંસથી મરી જાય છે. તેનાથી ક્રોધિત જન્મેજય એ જ્યારે નાગ યજ્ઞ કર્યો હતો ધરતી પરના અડધોઅડધ નાગ ભસ્મ થઈ ગયા ત્યારે વાસુકી નાગની બહેન અને ઋષિ જરત્કારુના પુત્ર આસ્તીકે નાગનો યજ્ઞ રોકાવ્યો અને સાપોની રક્ષા કરી. કહે છે કે જન્મેજય અને આસ્તીક આસ્તીક જપનારાને સર્પદંશનો ડર નથી રહેતો.
નાગ અનેક વાર્તાઓમાં એક પાત્ર તરીકે દેખાય છે. વૃત્રાસુર, જેને ઇન્દ્ર દ્વારા દધીચી ઋષિના હાડકામાંથી બનાવેલા શસ્ત્રનો ઉપયોગ કરીને મારવામાં આવ્યો હતો, તે પોતે નાગરાજ (સર્પોનો રાજા) હતો. વેદોમાં, સર્પને અહિ તરીકે ઓળખવામાં આવે છે, અને નાગ જાતિનું વિવિધ સ્વરૂપોમાં વર્ણન કરવામાં આવ્યું છે. વધુમાં, નાગ ના નામ પરથી શસ્ત્રો પણ છે; ઉદાહરણ તરીકે, મેઘનાદે નાગપાશ (સર્પ-ફાંસો) નો ઉપયોગ કરીને રામ અને લક્ષ્મણને બાંધ્યા હતા. ભગવાન કૃષ્ણે કાલિયા નાગનું દમન કર્યુ હતુ અને દુર્યોધનના ઝેરથી બેભાન થયેલો ભીમ નાગલોક પહોંચી ગયો હતો, તે પોતાને નાગલોક (સર્પોના રાજ્ય) માં મળ્યો હતો, જ્યાં તેને સો હાથીઓની શક્તિ મળી હતી.
યમનો ફાંસો પણ સર્પોથી બનેલો હોવાનું કહેવાય છે. કર્મ નો દોરો – જે વ્યક્તિના જીવનને સ્વર્ગ અને નરક સાથે જોડે છે – તે પણ વાસ્તવમાં, એક સર્પ હોવાનું કહેવાય છે. એક સમયે, નહુષ નામના રાજાને ઇન્દ્રના પદ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા, છતાં તે પોતાના કાર્યોના પરિણામોથી પોતાને મુક્ત કરી શક્યો નહીં; તેની જીભ લોભથી લહેરાતી જોઈને, ઋષિઓએ તેને સર્પમાં રૂપાંતરિત થવાનો શ્રાપ આપ્યો.
નાગ અથવા સર્પ ફક્ત પ્રાણીઓ નથી; તેમનો ઇતિહાસ માનવતાની સમાંતર અને હરીફ છે. તેઓ પોતાના અધિકારમાં દેવતાઓ છે અને એક અલગ સભ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. ઘણી સંસ્કૃતિઓએ સર્પને તેમના પ્રતીક તરીકે અપનાવ્યો છે. કાશ્મીરનો અનંતનાગ જિલ્લો એક સમયે નાગ ની સમૃદ્ધ રાજધાની હતો; આના પુરાવા આજે પણ છે, અને તેઓ અસંખ્ય લોકકથાઓમાં મુખ્ય રીતે દર્શાવવામાં આવે છે.
Published On - 5:30 pm, Mon, 24 August 26