ભગવાન શંકરજીના ત્રીજી આંખનું શું છે રહસ્ય! શા માટે ત્રીજી આંખ ખુલતાં જ થાય છે વિનાશ? જાણો કારણ

ભગવાન શંકરજીના ત્રીજા નેત્ર વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. મહાભારતની કથા અનુસાર, ભગવાન શિવજીનું ત્રીજું નેત્ર શક્તિ અને ઉર્જાનું પ્રતીક છે. જે તેમની ભૌતિક આંખો કરતાં ઘણું ઊંચું છે. શંકરનું ત્રીજું નેત્ર જ્ઞાન અને સત્યનું નેત્ર છે. જે તમામ પ્રકારના અસત્યનો નાશ કરે છે.

ભગવાન શંકરજીના ત્રીજી આંખનું શું છે રહસ્ય! શા માટે ત્રીજી આંખ ખુલતાં જ થાય છે વિનાશ? જાણો કારણ
Lord Shiva Third Eye
Image Credit source: AI Generated
| Updated on: Aug 20, 2026 | 1:21 PM

ભગવાન શંકરજીનું ત્રીજું નેત્ર ભૌતિક આંખોથી અલગ છે. જે બે આંખોથી બધા પક્ષીઓ, પ્રાણીઓ અને મનુષ્યો જુએ છે તે તેમની ભૌતિક આંખો છે. ભગવાન શંકરજીનું ત્રીજું નેત્ર ભૌતિકતાની બહાર છે. આ ત્રીજું નેત્ર ભૌતિક જગતની બહાર સૃષ્ટિને જુએ છે. ત્રીજા નેત્રને જ્ઞાનની આંખ પણ કહેવામાં આવે છે. શંકરજીનું આ ત્રીજું નેત્ર બાહ્ય જગતને જોયા વિના આંતરિક જગતને જુએ છે. આ દિવ્ય આંખ ભવિષ્યને પણ જોઈ શકે છે.

ત્રીજી આંખમાં છે ત્રિકાળદર્શી શક્તિ

માન્યતા અનુસાર, શંકરજીની ત્રીજી આંખ ઈચ્છાઓ નહીં, પરંતુ સત્ય અને મોક્ષનું દર્શન કરે છે. ત્રીજી આંખ ખૂલતાં જ ઉત્પન્ન થતી જ્વાળા વિશ્વની નકારાત્મક શક્તિઓનો નાશ કરવાની ક્ષમતા દર્શાવે છે. આ ત્રીજી આંખમાં રહેલી શક્તિ ત્રિકાળદર્શી એટલે કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય જાણવાની ક્ષમતાનું પણ પ્રતીક માનવામાં આવે છે. શંકરજીનું આ સ્વરૂપ તેમની સંહારક શક્તિનું સર્વોચ્ચ રૂપ દર્શાવે છે. પરંતુ સાથે જ આંતરિક જાગૃતિ અને પરમાર્થનો સંદેશ પણ આપે છે.

ભગવાન શંકરજીની ત્રીજી આંખ કેવી રીતે બની?

ભગવાન શંકરજીની ત્રીજી આંખ અંગે અલગ-અલગ પુરાણોમાં વિવિધ કથાઓ જોવા મળે છે. એક કથા અનુસાર, એક વખત ભગવાન શંકરજી હિમાલય પર દેવતાઓ અને ઋષિ મુનિઓની સભા યોજી રહ્યા હતા. માતા પાર્વતી ત્યાં આવ્યા. ત્યારબાદ માતા પાર્વતીએ રમૂજી રીતે ભગવાન શંકરજીની બંને આંખો ઢાંકી દીધી. ભગવાનની આંખો ઢંકાતાં સમગ્ર સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો. એવું લાગવા લાગ્યું કે સૂર્યનું પણ કોઈ મહત્વ રહ્યું નહીં. પૃથ્વી પરના તમામ જીવો પરેશાન થવા લાગ્યા. આ સ્થિતિ જોઈને ભગવાન શંકરજીને ચિંતા થઈ ગઈ. ત્યારબાદ તેમણે પોતાના કપાળ પર એક દિવ્ય પ્રકાશ પ્રગટ કર્યો. પ્રકાશના આ પુન્જે ભગવાન શંકરજીની ત્રીજી આંખનું સ્વરૂપ ધારણ કર્યું એવી માન્યતા છે.

ભગવાન શંકરજીની ત્રીજી આંખ ક્યારે-ક્યારે ખુલી?

માન્યતા છે કે ભગવાન શંકરજીની ત્રીજી આંખ નીચે આપેલા પ્રમાણ મુજબ ખુલી છે

  1. કામદેવના પ્રસંગે: કામદેવે ભગવાન શંકરજીનું ધ્યાન ભંગ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે મહાદેવ ક્રોધિત થયા. ત્યારે તેમની ત્રીજી આંખ ખુલી. ત્યારે તેમના અગ્નિથી કામદેવ ભસ્મ થઈ ગયા.
  2. ત્રિપુરાસુરના સંહાર વખતે: ત્રિપુરાસુરના ત્રણ પુરોના વિનાશ માટે ભગવાન શંકરજીએ ભયંકર સંહારક સ્વરૂપ ધારણ કર્યું. આ પ્રસંગ મહાદેવની દિવ્ય સંહારશક્તિ સાથે જોડાયેલો છે. જોકે વિવિધ ગ્રંથોમાં ત્રીજી આંખના ચોક્કસ ઉલ્લેખમાં ભિન્નતા જોવા મળે છે.
  3. દક્ષ યજ્ઞ પછીનો ક્રોધ: સતીના દેહત્યાગ બાદ ભગવાન શંકરજી અત્યંત ક્રોધિત થયા હતા. તેમના ક્રોધમાંથી વીરભદ્રનું પ્રાગટ્ય થયું. દક્ષના યજ્ઞનો વિનાશ થયો. આ ઘટનાને પણ ભગવાન શંકરજીના પ્રચંડ ક્રોધ અને સંહારક શક્તિ સાથે જોડવામાં આવે છે.

ત્રીજી આંખનું સાચું પ્રતીક શું છે?

ભગવાન શંકરજીની ત્રીજી આંખ માત્ર વિનાશનું પ્રતીક નથી. તે જ્ઞાન, સત્યનું દર્શન, અજ્ઞાનનો નાશ અને અધર્મના અંતનું પ્રતીક છે. એટલે પૌરાણિક કથાઓનો સંદેશ એવો છે કે જ્યારે મહાદેવની ત્રીજી આંખ ખુલે છે, ત્યારે અસત્ય, અહંકાર, અજ્ઞાન અથવા અધર્મનો અંત નિશ્ચિત માનવામાં આવે છે.

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી અને અંધશ્રદ્ધાને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, નંદીનો જન્મ કેવી રીતે થયો, શિવ મંદિરમાં નંદીની મૂર્તિ શા માટે હોય છે? જાણો શું છે માન્યતા

Follow Us
Loading...
Unable to load recommendations.