
ભગવાન શંકરજીનું ત્રીજું નેત્ર ભૌતિક આંખોથી અલગ છે. જે બે આંખોથી બધા પક્ષીઓ, પ્રાણીઓ અને મનુષ્યો જુએ છે તે તેમની ભૌતિક આંખો છે. ભગવાન શંકરજીનું ત્રીજું નેત્ર ભૌતિકતાની બહાર છે. આ ત્રીજું નેત્ર ભૌતિક જગતની બહાર સૃષ્ટિને જુએ છે. ત્રીજા નેત્રને જ્ઞાનની આંખ પણ કહેવામાં આવે છે. શંકરજીનું આ ત્રીજું નેત્ર બાહ્ય જગતને જોયા વિના આંતરિક જગતને જુએ છે. આ દિવ્ય આંખ ભવિષ્યને પણ જોઈ શકે છે.
માન્યતા અનુસાર, શંકરજીની ત્રીજી આંખ ઈચ્છાઓ નહીં, પરંતુ સત્ય અને મોક્ષનું દર્શન કરે છે. ત્રીજી આંખ ખૂલતાં જ ઉત્પન્ન થતી જ્વાળા વિશ્વની નકારાત્મક શક્તિઓનો નાશ કરવાની ક્ષમતા દર્શાવે છે. આ ત્રીજી આંખમાં રહેલી શક્તિ ત્રિકાળદર્શી એટલે કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય જાણવાની ક્ષમતાનું પણ પ્રતીક માનવામાં આવે છે. શંકરજીનું આ સ્વરૂપ તેમની સંહારક શક્તિનું સર્વોચ્ચ રૂપ દર્શાવે છે. પરંતુ સાથે જ આંતરિક જાગૃતિ અને પરમાર્થનો સંદેશ પણ આપે છે.
ભગવાન શંકરજીની ત્રીજી આંખ અંગે અલગ-અલગ પુરાણોમાં વિવિધ કથાઓ જોવા મળે છે. એક કથા અનુસાર, એક વખત ભગવાન શંકરજી હિમાલય પર દેવતાઓ અને ઋષિ મુનિઓની સભા યોજી રહ્યા હતા. માતા પાર્વતી ત્યાં આવ્યા. ત્યારબાદ માતા પાર્વતીએ રમૂજી રીતે ભગવાન શંકરજીની બંને આંખો ઢાંકી દીધી. ભગવાનની આંખો ઢંકાતાં સમગ્ર સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો. એવું લાગવા લાગ્યું કે સૂર્યનું પણ કોઈ મહત્વ રહ્યું નહીં. પૃથ્વી પરના તમામ જીવો પરેશાન થવા લાગ્યા. આ સ્થિતિ જોઈને ભગવાન શંકરજીને ચિંતા થઈ ગઈ. ત્યારબાદ તેમણે પોતાના કપાળ પર એક દિવ્ય પ્રકાશ પ્રગટ કર્યો. પ્રકાશના આ પુન્જે ભગવાન શંકરજીની ત્રીજી આંખનું સ્વરૂપ ધારણ કર્યું એવી માન્યતા છે.
માન્યતા છે કે ભગવાન શંકરજીની ત્રીજી આંખ નીચે આપેલા પ્રમાણ મુજબ ખુલી છે
ભગવાન શંકરજીની ત્રીજી આંખ માત્ર વિનાશનું પ્રતીક નથી. તે જ્ઞાન, સત્યનું દર્શન, અજ્ઞાનનો નાશ અને અધર્મના અંતનું પ્રતીક છે. એટલે પૌરાણિક કથાઓનો સંદેશ એવો છે કે જ્યારે મહાદેવની ત્રીજી આંખ ખુલે છે, ત્યારે અસત્ય, અહંકાર, અજ્ઞાન અથવા અધર્મનો અંત નિશ્ચિત માનવામાં આવે છે.
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી અને અંધશ્રદ્ધાને સમર્થન આપતું નથી.