ભગવાન શંકર: શિવપૂજા સમયે ભૂલથી પણ ન કરતા આ નિયમોનો ભંગ, જાણો શિવપૂજા સંબંધિત ખાસ વાત

શિવપૂજા દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન જરૂરી છે. તો કેટલીક બાબતો એવી પણ છે કે જેનું શિવપૂજામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ભૂલથી પણ એ નિયમોનો ભંગ ન થવો જોઈએ.

ભગવાન શંકર: શિવપૂજા સમયે ભૂલથી પણ ન કરતા આ નિયમોનો ભંગ, જાણો શિવપૂજા સંબંધિત ખાસ વાત
નિયમથી જ કરો શિવપૂજા
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 14, 2021 | 3:50 PM

શિવજી (SHIVJI) એટલે તો ભોળાનાથ. મહાદેવ (Bhagvan Mahadev)એટલે તો ઝડપથી રીઝી જતા દેવ. એવું કહેવાય છે કે શિવજી એ ભક્તોના ભાવ માત્રથી જ રીઝી જાય છે. પરંતુ, શિવભક્તો તો શિવજીને પ્રસન્ન કરવા વિશેષ પૂજા અને અવનવા ઉપાય અજમાવતા હોય છે. જો કે વિશેષ શિવપૂજા દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન જરૂરી છે.

અલગ- અલગ પંથમાં અને ગ્રંથમાં તેના નિયમો અને પ્રથાઓ અલગ છે. તો કેટલીક બાબતો એવી પણ છે કે જેનું શિવજીની પૂજામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ભૂલથી પણ એ નિયમોનો ભંગ ન થવો જોઈએ. આવો આજે આપને જણાવીએ શિવ પૂજા સંબંધી કેટલીક ખાસ બાબતો.

સૌથી પહેલાં આપને જણાવી દઈએ કે શિવપૂજા દરમિયાન રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવું જોઈએ. શીવલીલા ગ્રંથ અનુસાર વ્યક્તિએ કાન, ગળે, મસ્તક, હાથ, બાજુ અને વિવિધ અવયવો પર રૂદ્રાક્ષ ધારણ કરવું જોઈએ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શિવજીની પૂજામાં બિલ્વપત્રનો તો અચુક ઉપયોગ થાય છે અને આપ પણ શિવાલય જાઓ ત્યારે મહાદેવને બિલ્વપત્ર અચૂક અર્પણ કરતા હશો. મહાદેવને બિલ્વપત્ર અત્યંત પ્રિય છે. પરંતુ, શું તમને ખબર છે કે બિલ્વપત્રને તોડવાનો પણ નિયમ છે ? એવું કહે છે કે બિલ્વપત્રને ગમે તે સમયે તોડી લેવાથી મહાદેવ બિલકુલ પ્રસન્ન થતા નથી. જો મહાદેવની કૃપાની પ્રાપ્તિ કરવી છે તો ચોથ, આઠમ, નોમ, ચૌદશ અને અમાસના દિવસે તો ભૂલથી પણ બિલ્વપત્રને વૃક્ષ પરથી ન તોડવું જોઈએ.

કેટલાક લોકો શિવજીને અર્પિત થતી વસ્તુઓ જેમકે નૈવેદ્ય, ફળ, ફૂલ, પાન અને પાણીને અગ્રાહ્ય માને છે. જો કે શિવને પૂર્ણ બ્રહ્મ માનતા શિવભક્તો તો શિવજીને અર્પિત તમામ વસ્તુને ગ્રાહ્ય જ ગણે છે.

ક્યાંક તમે શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ તો નથી કરતાં ને ? વિષ્ણુની પૂજામાં શંખનો ખાસ ઉપયોગ થાય છે. પરંતુ શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત મનાય છે. મહાદેવે શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હોવાથી તેનો ક્યારેય ઉપયોગ થતો નથી.

એટલે કે, હવે જ્યારે તમે શિવજીની પૂજા કરો, ત્યારે આ બાબતોને તમે પણ ખાસ ધ્યાનમાં રાખજો. જેથી ખૂબ જ ઝડપથી શિવજીની કૃપાને પ્રાપ્ત કરી શકાય.

આ પણ વાંચોઃ તમને ખબર છે કેમ ગણેશ પૂજામાં અર્પણ નથી થતું તુલસીનું પાન ?

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">