AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Janmashtami 2023 : જન્માષ્ટમીની પૂજામાં આ વસ્તુઓ અવશ્ય સામેલ કરો, નહીં તો કાન્હાજીની પૂજા અધૂરી ગણાશે

Janmashtami 2023 :જન્માષ્ટમીના અવસર પર ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર, કાન્હાની પૂજામાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી માનવામાં આવે છે, જેના વિના કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા અધૂરી માનવામાં આવે છે.આ વર્ષે આ તહેવાર 7 સપ્ટેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. દેશ અને દુનિયામાં કૃષ્ણના ભક્તો દ્વારા આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

Krishna Janmashtami 2023 : જન્માષ્ટમીની પૂજામાં આ વસ્તુઓ અવશ્ય સામેલ કરો, નહીં તો કાન્હાજીની પૂજા અધૂરી ગણાશે
Krishna Janmashtami
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 7:00 AM
Share

હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર વિશેષ માનવામાં આવે છે. આ કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 7 સપ્ટેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. દેશ અને દુનિયામાં કૃષ્ણના ભક્તો દ્વારા આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રી કૃષ્ણના ભક્તો ઉપવાસ રાખે છે અને મંદિરો ભગવાન કૃષ્ણની વિશેષ પ્રાર્થના કરે છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો, તેથી જન્માષ્ટમીના દિવસે કૃષ્ણની પૂજા રાત્રે જ કરવામાં આવે છે.

સનાતન ધર્મ માને છે કે જો કોઈ વ્યક્તિ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે વ્રત રાખે છે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન કૃષ્ણને ખાસ કરીને દહીં, દૂધ અને માખણ ગમે છે, તેથી દહીંનું ચરણામૃત તૈયાર કરીને લોકોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. જો તમે પણ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યા છો, તો તમારે પૂજામાં કેટલીક સામગ્રીનો સમાવેશ કરવો જોઈએ જે ભગવાન કૃષ્ણ અને લાડુ ગોપાલને ખુશ કરે છે.

વસ્ત્ર

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે બાળ ગોપાલને લીલા, પીળા, લાલ અને મોરના પીંછાથી બનેલા વસ્ત્રો, ફૂલવાળા વસ્ત્રો, વગેરે પહેરાવવા જોઈએ, આમ કરવાથી કાન્હાજી તમારા પર પ્રસન્ન થશે.

વાંસળી

વાંસળીને કાન્હાની સૌથી પ્રિય વસ્તુ માનવામાં આવે છે. કહેવાય છે કે આના વિના કાન્હા જીનો શ્રૃગાંર અધૂરો છે. વાંસળીને સાદગી અને મધુરતાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી કૃષ્ણ જન્માષ્ટમી પર કાન્હાના હાથમાં નાની વાંસળી રાખો. ઘરમાં વાંસળી રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

મોર મુકુટ

શ્રી કૃષ્ણનો શ્રૃંગાર મોરના પીંછા વિના અધૂરો માનવામાં આવે છે. શ્રી કૃષ્ણને મોરપીંછ ખુબ પ્રિય છે. મોર મુગટ ભવ્યતા અને મોહનું પ્રતીક છે. તેનાથી દુ:ખ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. તેથી જ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણની મૂર્તિ પર મોરનો મુગટ ચઢાવો. આમ કરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

માળા

જન્માષ્ટમીના તહેવાર પર, ખાસ કરીને શ્રી કૃષ્ણ અને બાળ ગોપાલને વૈજયંતી માળા અથવા મોતીની માળા અર્પણ કરો. તમે ઈચ્છો તો લાલ કે પીળા ફૂલોથી બનેલી માળા પણ કાન્હાજીને અર્પણ કરી શકો છો. ઘરમાં વૈજંતી માળા રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા સમયે ભગવાન કાન્હાને વૈજયંતી માળા ચઢાવો.

માખણ

એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ અને બાળ ગોપાલને માખણ ખૂબ જ પ્રિય છે. જન્માષ્ટમીના તહેવાર પર જો કોઈ ભક્ત બાળ ગોપાલને માખણ અને મિશ્રી અર્પણ કરે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. માખણ અર્પણ કર્યા પછી, તેને લોકોમાં વહેંચવું જોઈએ.

તિલક

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર બાળ ગોપાલના લલાટ પર કંકુ અને ચંદનનું તિલક લગાવવું જોઈએ, જેનાથી તમારા જીવનમાં મધુરતા આવશે અને સુખ-સમૃદ્ધિ પણ આવશે.

બાજુબંધ અને કડા

કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે પૂજાના સમયે બાળ ગોપાલને સોના અથવા ચાંદીના કડાથી શણગારવાથી જીવનના તમામ દુર્ભાગ્ય દૂર થઈ જશે અને તમે મુશ્કેલીઓથી મુક્ત થશો.

કુંડળ

કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કન્હૈયાજીના કાનમાં સોના, ચાંદી અથવા મોતીથી બનેલી કુંડળ અવશ્ય પહેરાવો, તેનાથી સમૃદ્ધિ આવે છે.

પાયલ અને કમરબંધ

શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે, બાળ ગોપાલના બંને પગમાં ચાંદીની પાયલ અથવા કમરની આસપાસ કમરબંધ પહેરવાનું ભૂલશો નહીં.

ઝુલા

જન્માષ્ટમીના દિવસે, શ્રી કૃષ્ણના બાળ રૂપની પૂજા કરવામાં આવે છે, તેથી તેમને ઝુલામાં કે પારણામાં ઝૂલાવવામાં આવે છે. જન્માષ્ટમી પર પૂજામાં નાનું પારણું અથવા ઝૂલો અવશ્ય રાખવો. આવું કરવાથી પરિવારમાં ખુશીઓ આવે છે.

ઘી અને ઘંટડી

જન્માષ્ટમીના દિવસે પૂજા કરતી વખતે શુદ્ધ ઘી અવશ્ય સામેલ કરો અને એ પણ ધ્યાનમાં રાખો કે ઘી માત્ર ગાયનું જ હોવું જોઈએ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય હતી. આમ કરવાથી ધંધા કે નોકરીની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે તમે પૂજામાં ઘંટ પણ રાખી શકો છો. ઘંટડીનો અવાજ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">