Lord Vishnu : ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે કરો આ મહા ઉપાય, પૂર્ણ થશે સુખ અને સંપત્તિની મનોકામના

પુરાણો અનુસાર, ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં રહે છે અને શેષનાગની શૈયા પર વિશ્રામ કરે છે. ભગવાન વિષ્ણુના પત્નીનું નામ લક્ષ્મી છે. પૂજા દ્વારા ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના મહા ઉપાય જાણીએ.

Lord Vishnu : ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે કરો આ મહા ઉપાય, પૂર્ણ થશે સુખ અને સંપત્તિની મનોકામના
Lord Vishnu
| Edited By: | Updated on: Sep 30, 2021 | 5:48 PM

સનાતન પરંપરામાં ભગવાન વિષ્ણુને (Lord Vishnu) બ્રહ્માંડના રક્ષક માનવામાં આવે છે. જેઓ પૃથ્વી પર મનુષ્યના કલ્યાણ માટે સમય સમય પર અવતાર ધારણ કરે છે.

પુરાણો અનુસાર, ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં રહે છે અને શેષનાગની શૈયા પર વિશ્રામ કરે છે. તેમની નાભિમાંથી એક કમળ પ્રગટ થયેલું છે, જેમાં બ્રહ્માજી બિરાજમાન છે. ભગવાન વિષ્ણુના પત્નીનું નામ લક્ષ્મી છે. નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુ સાથે તેમના સંબંધ હોવાથી ભક્તો લક્ષ્મીનારાયણના નામે તેમની પૂજા કરે છે. પૂજા દ્વારા ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના મહા ઉપાય જાણીએ.

1. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે પાણીમાં એક ચપટી હળદર નાંખો અને સ્નાન કરો અને ગુરૂવારે પીળા રંગના કપડાં પહેરો.

2. ગુરુવારે ભગવાન વિષ્ણુને પહેલા ગાયના દૂધથી અને પછી શંખમાં ગંગાજળ ભરીને અભિષેક કરવો જોઈએ. આ પછી, તેમને પીળા રંગના વસ્ત્ર અર્પણ કરો.

3. ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે હળદર, પીળા ચંદન, કેસર વગેરેનું તિલક લગાવો અને પીળા ફૂલો અને ફળો અર્પણ કરો.

4. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે, ગુરુવારે, એ મંદિરમાં જાઓ જ્યાં ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય. તે મંદિરમાં ભગવાનને ગોળ, ચણાની દાળ, કેસર અને પીળા વસ્ત્ર અર્પણ કરો.

5. જો ભગવાન વિષ્ણુનું મંદિર ન મળે તો તમે તેમના અવતાર ભગવાન શ્રી કૃષ્ણને આ બધી સામગ્રી અર્પણ કરીને તેમના આશીર્વાદ પણ મેળવી શકો છો.

6. પીપળના વૃક્ષને ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન માનવામાં આવે છે, તેથી ગુરુવારે પીપળ પર મીઠું જળ અર્પણ કરવું જોઈએ.

7. ગુરુવારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે, ગાયના દૂધમાંથી બનાવેલી ખીર બનાવીને તે ખીરને પ્રસાદમાં અર્પણ કરો.

8. ભગવાન વિષ્ણુની પૂજામાં બે વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. પ્રથમ, તેમના માટે દીવા પ્રગટાવવા માટે ગાયના ઘીનો ઉપયોગ કરો અને બીજું પ્રસાદમાં તુલસી અર્પણ કરો.

9. જો સુખ અને સંપત્તિની ઈચ્છા હોય તો ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાનું ભૂલશો નહીં.

નોંધ: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Pitru paksh 2021: પિતૃ પક્ષમાં પ્રાપ્ત કરો પિતૃઓની સાથે દેવી લક્ષ્મીના આશિર્વાદ ! એક સરળ ઉપાયથી દૂર થશે આપની આર્થિક પરેશાની

આ પણ વાંચો : Bhakti: શા માટે મંદિરોમાં કરવામાં આવે છે ઘંટનાદ ? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક-સામાજિક કારણ

Published On - 5:44 pm, Thu, 30 September 21