Kartik Purnima 2021: કાર્તિક પુર્ણિમા પર રાશિ અનુસાર આ વસ્તુઓનું કરો દાન, દૂર થશે જીવનની તમામ મુશ્કેલીઓ

|

Nov 18, 2021 | 2:39 PM

ધાર્મિક માન્યતા અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે દાન કરવાથી હજારો ગણું ફળ મળે છે. તેથી, આ દિવસે ગરીબોને ગરમ વસ્ત્રો, ગરમ વસ્તુઓનું દાન કરવામાં આવે છે.

Kartik Purnima 2021: કાર્તિક પુર્ણિમા પર રાશિ અનુસાર આ વસ્તુઓનું કરો દાન, દૂર થશે જીવનની તમામ મુશ્કેલીઓ
કાર્તિક પુર્ણિમા 2021

Follow us on

Kartik Purnima 2021: કાર્તિક પૂર્ણિમાને હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ કારતક માસના શુક્લ પક્ષની પૂર્ણિમાને કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. તેને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ વર્ષે કારતક પૂર્ણિમા 19 નવેમ્બર શુક્રવારે છે.

ધાર્મિક માન્યતા અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે દાન કરવાથી હજારો ગણું ફળ મળે છે. તેથી, આ દિવસે ગરીબોને ગરમ વસ્ત્રો, ગરમ વસ્તુઓનું દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. આ સાથે પૈસાની કમી પણ દૂર થાય છે. એવું કહેવાય છે કે દેવતાઓ કાર્તિક પૂર્ણિમાના દિવસે દિવાળી ઉજવે છે. તેથી જ તેને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. તો ચાલો જોઈએ કે કાર્તિક પૂર્ણિમાના દિવસે રાશિ પ્રમાણે તમારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

મેષ-ગોળનું દાન

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વૃષભ– ગરમ વસ્ત્રોનું દાન

મિથુન-મગની દાળનું દાન

કર્ક – ચોખાનું દાન

સિંહ-ઘઉંનું દાન

કન્યા-લીલો ચારો

તુલા– ખોરાકનું દાન

વૃશ્ચિકર – ગોળ અને ચણાનું દાન

ધન – ગરમ ખોરાક, જેમ કે બાજરી

મકર-ધાબળાનું દાન

કુંભ-કાળા અડદની દાળ

મીન – હળદર અને ચણાના લોટની મીઠાઈનું દાન કરો

આ દિવસે ચંદ્રોદય સમયે, આ છ તપસ્વીઓ, શિવ, સંભૂતિ, પ્રીતિ, સંતતિ અનસૂયા અને ક્ષમાની પૂજા કરવામાં આવે છે, કારણ કે તેઓ ભગવાન કાર્તિકેયની માતા છે અને તેમની પૂજાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. ધૂપ-દીપ, નૈવેદ્યથી વિધિવત પૂજા કરવાથી ધન અને ધાન્યની વૃદ્ધિ થાય છે.

માન્યતાઓ અનુસાર દેવ દિવાળી પર ગંગાના કિનારે દીપ પ્રગટાવવામાં આવે તો માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ ખાસ દિવસે દીપદાનનું વિશેષ મહત્વ છે. નદી, તળાવ વગેરે જગ્યાએ દીવાનું દાન કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓનો અંત આવે છે. એટલું જ નહીં, દેવાથી પણ મુક્તિ મળે છે. તેની સાથે જ જણાવી દઈએ કે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર કેરીના પાનથી (આંબાના પાન) બનેલું તોરણ બાંધવું જોઈએ અને મુખ્ય સ્થાનો પર દીવો પણ પ્રગટાવવો જોઈએ.


નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ  વાંચો: Viral : જંગલમાં જોવા મળ્યો કોબ્રાનો અદ્ભૂત નજારો, લોકો ગણાવી રહ્યા છે “આશીર્વાદ”

આ પણ વાંચો: માણેકચંદના ડિસ્ટ્રીબ્યુટર પર IT ની રેડમાં ઝડપાયું અધધધ નાણું, ડીલર શેખને ઉપડ્યો છાતીનો દુઃખાવો

Next Article