
ભારત એ કથાઓનો દેશ છે. અહીં દરેક પથ્થરમાંથી કોઈ કથા મળી આવે છે. દરેક નદીમાં કોઈ રહસ્ય વહી રહ્યુ છે અને દરેક મંદિરમાં શક્તિ શ્વસી રહી છે. આ જ ભૂમિમાં સ્થાપિત છે કામખ્યા મંદિર. જે આસ્થા, રહસ્ય અને સ્ત્રી શક્તિનો અદ્દભૂત સંગમ છે. આ મંદિર ન માત્ર દેવીની પૂજાનું સ્થળ છે પરંતુ એ રહસ્યોનો ભંડાર પણ છે જેના પર આજ સુધી વિજ્ઞાન પણ મૌન છે. આ મંદિર છે અસમના ગૌહાટીમાં આવેલુ કામખ્યા દેવીનું મંદિર. એક એવા દેવી જેની પૂજા તેમના માસિક ધર્મ દરમિયાન થાય છે. એક એવી પરંપરા જ્યાં દેવીની યોનિ ને પૂજનિય માનવામાં આવે છે. એક એવો પર્વ જ્યારે મંદિરના કપાટ બંધ થઈ જાય છે. આ ઘટનાની સાક્ષી બને છે ખુદ પ્રકૃતિ. જેને દુનિયા અંબુવાચી નામથી ઓળખે છે. આજે આપણે વાત કરશુ કામરૂપ કામખ્યા દેવીના રહસ્યમયલોકની. જ્યાં દરેક પગલે કોઈ ગૂઢ સંકેત મળે છે અને દરેક પ્રથામાં છુપાયેલો છે કોઈ પ્રાચીન-તાંત્રિક સંકેત. આ કહાની શરૂ થાય છે સૃષ્ટિના પ્રારંભથી. જ્યારે...
Published On - 7:03 pm, Sat, 18 October 25