વટ સાવિત્રી વ્રતમાં કયા મુહૂર્તમાં કરશો પૂજા ? નવ પરિણીત સ્ત્રીએ પૂજામાં શું ખાસ ધ્યાન રાખવું જોઈએ ?

આ દિવસે વડના વૃક્ષની (Tree) 108 વખત પ્રદક્ષિણા કરવાનો મહિમા છે. પણ, જો આપ 108 વખત પ્રદક્ષિણા કરી શકો તેમ ન હોવ તો ઓછામાં ઓછી 7 વખત તો તેની પ્રદક્ષિણા જરૂરથી કરવી જોઈએ. તે સમયે તેને સુતરની દોરી વિંટવી જોઈએ.

વટ સાવિત્રી વ્રતમાં કયા મુહૂર્તમાં કરશો પૂજા ? નવ પરિણીત સ્ત્રીએ પૂજામાં શું ખાસ ધ્યાન રાખવું જોઈએ ?
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 17, 2023 | 6:23 AM

સમગ્ર વર્ષ દરમિયાન અનેક વ્રત, તહેવાર આવતા હોય છે. જેમાં વટ સાવિત્રી વ્રતનો સવિશેષ મહિમા છે. સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત રાખતી હોય છે. આજથી અમાસ પક્ષના વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આવો જાણીએ કે આ વ્રતમાં કઈ વિધિથી પૂજા કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થશે !

વટ સાવિત્રી વ્રત ક્યારે કરવું ?

ગુજરાતી પંચાંગ અનુસાર જેઠ સુદ પૂર્ણિમાના અવસરે વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આ જ રીતે વ્રતની પરંપરા છે. જે આ વખતે 3 જૂન, 2023, શનિવારના રોજ રાખવામાં આવશે. અલબત્, ઉત્તર ભારતની પરંપરામાં આ વ્રત પૂર્ણિમાના 15 દિવસ પહેલાં અમાસ પક્ષમાં કરવામાં આવે છે. જે આ વખતે 19 મે, 2023, શુક્રવારના રોજ કરવામાં આવશે.

સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત રાખતી હોય છે. ત્રણ દિવસ વ્રત કરનારી મહિલાઓ આજે પ્રદોષથી વ્રતનો પ્રારંભ કરશે અને 19 તારીખે, શનિ જયંતીએ તેની પૂર્ણાહુતિ થશે. જ્યારે એક દિવસ વ્રત રાખનારી મહિલાઓએ 19 તારીખે વ્રત કરવાનું રહેશે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

અમાસ તિથિ

વૈશાખ વદ અમાસનો પ્રારંભ 18 મે, 2023ના રોજ રાત્રીએ 09:42 કલાકે થશે. જે 19 મે, 2023 રાત્રે 09:22 કલાકે પૂર્ણ થશે. આ દિવસે ગજ કેસરી યોગ અને શશ રાજયોગ બની રહ્યો છે. જે અંતર્ગત સવારે 07:19 થી 10:42 સુધી પૂજા માટે શુભ મુહૂર્ત રહેશે.

વટ સાવિત્રી વ્રતનો મહિમા

⦁ વટ સાવિત્રી વ્રત અત્યંત ફળદાયી મનાય છે. આ વ્રત સતી સાવિત્રી અને યમરાજની કૃપાને પ્રાપ્ત કરાવનારું છે. દેવી સાવિત્રીએ પતિવ્રતા ધર્મ અને બુદ્ધિચાતુર્યથી તેમના મૃત પતિ સત્યવાનને પુનઃ જીવન પ્રાપ્ત કરાવ્યું હતું.

⦁ કહે છે કે જે સ્ત્રી આસ્થા સાથે આ વ્રત કરે છે, તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

⦁ આ વ્રતના પ્રતાપથી પતિને દીર્ઘ આયુષ્ય તો પ્રાપ્ત થાય જ છે. સાથે જ ઘરમાં સુખ, સમૃદ્ધિનું પણ આગમન થાય છે.

⦁ આ વ્રત કરવાથી દાંપત્ય જીવનના વિઘ્નો પણ દૂર થઈ જાય છે.

વ્રતની ફળદાયી વિધિ

⦁ જે સ્ત્રીઓના નવા જ લગ્ન થયા છે, એટલે કે, લગ્ન બાદ જેમનું પહેલું વટ સાવિત્રી વ્રત છે, તેમણે વ્રતના દિવસે વહેલા ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થવું. આ દિવસે આવી સ્ત્રીઓએ ખાસ લાલ રંગની સાડી પહેરવી જોઈએ અને સાથે જ નવવધુની જેમ જ 16 શ્રૃંગાર કરવા જોઈએ.

⦁ વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. આ માટે સર્વ પ્રથમ વડના મૂળમાં જળ અર્પણ કરો. ત્યારબાદ તેને ધૂપ-દીપ અર્પણ કરો. પછી કંકુ, સિંદૂર, પાન, સોપારી, અક્ષત, ફળ, ફૂલ વગેરે તેને અર્પણ કરો.

⦁ આ દિવસે વડના વૃક્ષની 108 વખત પ્રદક્ષિણા કરવાનો મહિમા છે. પણ, જો આપ 108 વખત પ્રદક્ષિણા કરી શકો તેમ ન હોવ તો ઓછામાં ઓછી 7 વખત તો તેની પ્રદક્ષિણા જરૂરથી કરવી જોઈએ. તે સમયે તેને સુતરની દોરી વિંટવી જોઈએ.

⦁ વડના વૃક્ષ નીચે જ વટ સાવિત્રી વ્રતની કથાનું શ્રવણ કરવું જોઈએ.

⦁ વટ સાવિત્રી વ્રતની પૂજા પૂર્ણ થયા બાદ કોઈ જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને અનાજ, કપડા અને ધનનું દાન કરવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">