Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વટ સાવિત્રી વ્રતમાં કયા મુહૂર્તમાં કરશો પૂજા ? નવ પરિણીત સ્ત્રીએ પૂજામાં શું ખાસ ધ્યાન રાખવું જોઈએ ?

આ દિવસે વડના વૃક્ષની (Tree) 108 વખત પ્રદક્ષિણા કરવાનો મહિમા છે. પણ, જો આપ 108 વખત પ્રદક્ષિણા કરી શકો તેમ ન હોવ તો ઓછામાં ઓછી 7 વખત તો તેની પ્રદક્ષિણા જરૂરથી કરવી જોઈએ. તે સમયે તેને સુતરની દોરી વિંટવી જોઈએ.

વટ સાવિત્રી વ્રતમાં કયા મુહૂર્તમાં કરશો પૂજા ? નવ પરિણીત સ્ત્રીએ પૂજામાં શું ખાસ ધ્યાન રાખવું જોઈએ ?
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 17, 2023 | 6:23 AM

સમગ્ર વર્ષ દરમિયાન અનેક વ્રત, તહેવાર આવતા હોય છે. જેમાં વટ સાવિત્રી વ્રતનો સવિશેષ મહિમા છે. સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત રાખતી હોય છે. આજથી અમાસ પક્ષના વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આવો જાણીએ કે આ વ્રતમાં કઈ વિધિથી પૂજા કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થશે !

વટ સાવિત્રી વ્રત ક્યારે કરવું ?

ગુજરાતી પંચાંગ અનુસાર જેઠ સુદ પૂર્ણિમાના અવસરે વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આ જ રીતે વ્રતની પરંપરા છે. જે આ વખતે 3 જૂન, 2023, શનિવારના રોજ રાખવામાં આવશે. અલબત્, ઉત્તર ભારતની પરંપરામાં આ વ્રત પૂર્ણિમાના 15 દિવસ પહેલાં અમાસ પક્ષમાં કરવામાં આવે છે. જે આ વખતે 19 મે, 2023, શુક્રવારના રોજ કરવામાં આવશે.

સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત રાખતી હોય છે. ત્રણ દિવસ વ્રત કરનારી મહિલાઓ આજે પ્રદોષથી વ્રતનો પ્રારંભ કરશે અને 19 તારીખે, શનિ જયંતીએ તેની પૂર્ણાહુતિ થશે. જ્યારે એક દિવસ વ્રત રાખનારી મહિલાઓએ 19 તારીખે વ્રત કરવાનું રહેશે.

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!
સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?

અમાસ તિથિ

વૈશાખ વદ અમાસનો પ્રારંભ 18 મે, 2023ના રોજ રાત્રીએ 09:42 કલાકે થશે. જે 19 મે, 2023 રાત્રે 09:22 કલાકે પૂર્ણ થશે. આ દિવસે ગજ કેસરી યોગ અને શશ રાજયોગ બની રહ્યો છે. જે અંતર્ગત સવારે 07:19 થી 10:42 સુધી પૂજા માટે શુભ મુહૂર્ત રહેશે.

વટ સાવિત્રી વ્રતનો મહિમા

⦁ વટ સાવિત્રી વ્રત અત્યંત ફળદાયી મનાય છે. આ વ્રત સતી સાવિત્રી અને યમરાજની કૃપાને પ્રાપ્ત કરાવનારું છે. દેવી સાવિત્રીએ પતિવ્રતા ધર્મ અને બુદ્ધિચાતુર્યથી તેમના મૃત પતિ સત્યવાનને પુનઃ જીવન પ્રાપ્ત કરાવ્યું હતું.

⦁ કહે છે કે જે સ્ત્રી આસ્થા સાથે આ વ્રત કરે છે, તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

⦁ આ વ્રતના પ્રતાપથી પતિને દીર્ઘ આયુષ્ય તો પ્રાપ્ત થાય જ છે. સાથે જ ઘરમાં સુખ, સમૃદ્ધિનું પણ આગમન થાય છે.

⦁ આ વ્રત કરવાથી દાંપત્ય જીવનના વિઘ્નો પણ દૂર થઈ જાય છે.

વ્રતની ફળદાયી વિધિ

⦁ જે સ્ત્રીઓના નવા જ લગ્ન થયા છે, એટલે કે, લગ્ન બાદ જેમનું પહેલું વટ સાવિત્રી વ્રત છે, તેમણે વ્રતના દિવસે વહેલા ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થવું. આ દિવસે આવી સ્ત્રીઓએ ખાસ લાલ રંગની સાડી પહેરવી જોઈએ અને સાથે જ નવવધુની જેમ જ 16 શ્રૃંગાર કરવા જોઈએ.

⦁ વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. આ માટે સર્વ પ્રથમ વડના મૂળમાં જળ અર્પણ કરો. ત્યારબાદ તેને ધૂપ-દીપ અર્પણ કરો. પછી કંકુ, સિંદૂર, પાન, સોપારી, અક્ષત, ફળ, ફૂલ વગેરે તેને અર્પણ કરો.

⦁ આ દિવસે વડના વૃક્ષની 108 વખત પ્રદક્ષિણા કરવાનો મહિમા છે. પણ, જો આપ 108 વખત પ્રદક્ષિણા કરી શકો તેમ ન હોવ તો ઓછામાં ઓછી 7 વખત તો તેની પ્રદક્ષિણા જરૂરથી કરવી જોઈએ. તે સમયે તેને સુતરની દોરી વિંટવી જોઈએ.

⦁ વડના વૃક્ષ નીચે જ વટ સાવિત્રી વ્રતની કથાનું શ્રવણ કરવું જોઈએ.

⦁ વટ સાવિત્રી વ્રતની પૂજા પૂર્ણ થયા બાદ કોઈ જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને અનાજ, કપડા અને ધનનું દાન કરવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">