
હિંદુ ધર્મમાં હોળી પ્રગટાવવાને ઘણુ શુભ માનવામાં આવે છે. આ દિવસે અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયના રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પરિવાર સાથે મળીને હોળીકા મતાની પૂજા કરે છે અને શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવે છે. માન્યતા છે કે વિધિ-વિધાન અને નિયમો સાથે કરવામાં આવેલ હોળી દહન જીવનમાં સકારાત્મક ઊર્જા, સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે. પરંતુ તેના માટેના કેટલાક જરૂરી નિયમો ધ્યાનમાં રાખવા અત્યંત જરૂરી બની જાય છે. જેને નજર અંદાજ કરવાથી પૂજાનું સંપૂર્ણ ફળ નથી મળતુ. આવો જાણીએ હોળિકા દહનના જરૂરી નિયમો
હોળિકા દહન પહેલા કાચા સૂતર કે કલાવા લઈને 5 થી 7 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્યારબાદ અગ્નમાં જવ કે અક્ષત અર્પણ કરવા જોઈએ. હોળીની અગ્નિમાં શેકાયેલ નવી ફસલને પ્રસાદ તરીકે ઘર લાવી વહેંચીને ખાવો શુભ માનવામાં આવે છે.
આ દિવસે સફેદ, પીળા કે લાલ રંગના વસ્ત્ર પહેરવા શુભ માનવામાં આવે ચે. કાળા રંગ કે લેધરના કપડા ન પહેરવા, કારણ કે તે નકારાત્મક્તા સાથે જોડાયેલો છે. મહિલાઓએ પણ વધુ પડતા ચમકીલા કે ડાર્ક કલરના કપડા પહેરવાથી દૂર રહેવુ જોઈએ.
મોટાભાગના લોકો હોળી પ્રગટે એટલે પ્રદક્ષિણા કરીને તુરંત ઘરે આવી જતા હોય છે પરંતુ આવુ ન કરવુ જોઈએ. થોડા સમય સુધી ત્યાં જ રોકાઈની પ્રદક્ષિણા કરવી જોઈએ. માન્યતા છે કે તેનાથી નકારાત્મક ઊર્જા સમાપ્ત થાય છે. બીજા દિવસે હોળી દહનની રાખ ઘરે લાવીને તિલક કરવુ કે ઘરના છોડમાં નાખવી શુભ ગણાય છે.
હોળીકા દહનના દિવસે માંસાહાર કે મદિરાનું સેવન ન કરવુ જોઈએ. આ દિવસે સાત્વિક ભોજન કરવુ ઉચિત ગણાય છે. કારણ કે તેનાથી ઘરમાં સકારાત્મક્તા જળવાઈ રહે છે અને સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.
મહિલાઓ માટે ખાસ સાવચેતી
પૂજાન સમે મહિલાઓ તેમના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. એવુ મનાય છે કે ખુલ્લા વાળ નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે. આથી પૂજા દરમિયાન વાળ બાંધવા ઉચિત ગણાય છે.
દ્રીક પંચાંગ અનુસાર આ વર્ષે હોળી દહન 2 માર્ચે કરવામાં આવશે જેનુ મુહૂર્ત સાંજે 6 વાગ્યે 22 મિનિટ થી રાત્રે 8 વાગ્યે 50 મિનિટ સુધી રહેશે. આ દિવસે સાંજે 5.55 મિનિટ થી ભદ્રા કાળ શરૂ થાય છે. જે 3 માર્ચ સવારે 4 વાગ્યા સુધી રહેસે, જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે ભદ્રાનો પ્રભાવ પૃથ્વીલોક પર રહેશે. આથી જ પ્રદોષકાળમાં પૂજન કરવુ ઉચિત ગણાય છે. આ સમયે દાન-પૂણ્ય કરવુ પણ ઉચિત મનાય છે.