
નવા વર્ષના દિવસે લોકો મંદિરે દર્શન કરવા જતા હોય છે. જેથી કરીને તેમને ભગવનના આશીર્વાદ મળી રહે. ઘણા લોકો ઘરે જ ગોવર્ધન પૂજા તેમજ 56 ભોગ પ્રસાદ ધરાવે છે અને કાન્હાજીની સેવા કરે છે. જેમાં ઘણા વ્યંજનોનો સમાવેશ થતો હોય છે.
અત્યારે આ ભાગ દોડ ભરી લાઈફસ્ટાઈલમાં ઘણી વાર આપણે અમુક સામગ્રી ભૂલી જતા હોય છીએ. તો આજે અમે તમને 56 ભોગ પ્રસાદમાં ભગવાનને શું ધરાવી શકાય તેનું લિસ્ટ જણાવશું. ઘણા લોકો મોર્ડન થવામાં હોડમાં ભગવાનને કેક, ચોકલેટ, અન્ય નમકીનના પેકેટ ધરતા હોય છે. જે તદન ખોટું છે. ભગવાનો પ્રસાદ શુદ્ધ અને સાત્વિક રીતે રંધાયેલો હોવો જોઈએ. જે ઘરે તૈયાર થયેલો હોવો જોઈએ. જો તમે આ 56 પ્રકાર ન ધરાવી શકો તો તેના વિશે પણ અમે માહિતી આપી છે.
આ ૫૬ પ્રસાદમાં વિવિધ મીઠાઈઓ, ફળો, કઢી, પકોડા, પાપડ, અથાણાં, પીણાં, રાંધેલા શાકભાજી, ચટણી, સોપારી, સોપારી વગેરેનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે 56 પ્રકારના પ્રસાદ ચઢાવવાથી ભગવાન કૃષ્ણ તરત જ પ્રસન્ન થાય છે. અહીં અમે તમને જણાવીશું કે 56 પ્રસાદમાં શું શું હોય છે.
ભગવાનને આપવામાં આવતા 56 પ્રસાદમાં મીઠા, ખાટા, ખારા, ખાટા, કડવા અને તીખા સ્વાદ સહિત તમામ સ્વાદનો સમાવેશ થાય છે.
જો કોઈ કારણોસર તમે જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણને 56 પ્રસાદ ન ચઢાવી શકો તો તેમને ગાયના દૂધમાંથી બનાવેલું માખણ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે કૃષ્ણને માખણ સૌથી વધુ ગમે છે. આનાથી બાળ ગોપાલ ઝડપથી પ્રસન્ન થાય છે.
આ પણ વાંચો: Govardhan Puja 2025: ગોવર્ધન પૂજા પર શું કરવું અને શું ન કરવું? જાણો નિયમો
(Disclaimer – આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)
દિવાળી એ, દીવાઓ સાથે સંકળાયેલો હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. હિંદુ માન્યતા અનુસાર, આ પર્વ અંધકાર પર પ્રકાશની જીત અને જીવનમાં સુખ, સૌભાગ્ય અને સંપત્તિની કામના સાથે જોડાયેલો છે. દિવાળી અથવા દીપાવલી સાથે પાંચ તહેવારો સંકળાયેલા છે, જે ધનતેરસથી શરૂ થાય છે અને કાળી ચતુર્દશી, દીપાવલી, ગુજરાતીઓનુ બેસતુ વર્ષ અને ગોવર્ધન પૂજા પછી ભાઈ બીજ સાથે સમાપ્ત થાય છે. જો કે ગુજરાતમાં લાભ પાંચમના રોજ વેપાર-ઉદ્યોગ, ધંધા રોજગાર કરનારા મૂહર્ત કરીને તેમનો વ્યવસાય શરૂ કરે છે.
Published On - 1:39 pm, Mon, 13 October 25