
આજે મોટાભાગના લોકો ડાઇનિંગ ટેબલ પર ભોજન કરે છે. જ્યારે પ્રાચીન સમયમાં જમીન પર બેસીને જમવાની પરંપરા હતી. વાસ્તુશાસ્ત્રમાં ભોજન માટે કેટલાક ચોક્કસ નિયમો જણાવવામાં આવ્યા છે. જે વ્યક્તિના સ્વાસ્થ્ય, માનસિક સ્થિતિ, ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર અસર કરી શકે છે. શું જમીન પર બેસીને ભોજન કરવું શુભ છે કે ડાઇનિંગ ટેબલ પર? ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર આ વિષય પર શું કહે છે
વાસ્તુ અને આયુર્વેદમાં, જમીન પર બેસીને પલાઠી મારીને ભોજન કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. એ ભોજન કરવાની શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે. આ સ્થિતિને સુખાસન કહેવામાં આવે છે. આ રીતે ભોજન કરવાથી શરીરનું સંતુલન જળવાઈ રહે છે અને પાચનતંત્ર મજબૂત બને છે. વધુમાં, વ્યક્તિનો પૃથ્વી તત્વ સાથે સીધો સંબંધ રહે છે.
વાસ્તુ અનુસાર, ક્યારેય પણ જમીન પર કે ફ્લોર પર બેસીને ભોજન કરવું નહીં. ભોજન કરતી વખતે સુતરાઉ, ઊની અથવા કુશાના આસનનો ઉપયોગ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ખુલ્લા જમીન પર બેસીવાથી શરીરની સકારાત્મક ઉર્જા પૃથ્વીમાં સમાઈ જાય છે.
જમીન પર બેસીને ભોજન કરતી વખતે થાળીને સીધી જમીન પર મૂકવાને બદલે તેને નાના સ્ટેન્ડ પર મુકવું જોઈએ કેમ કે તે વધુ શુભ માનવામાં આવે છે. થાળી બેસવાની જગ્યાથી થોડી ઊંચી હોવી જોઈએ. આ ભોજન પ્રત્યે આદરભાવ જાળવી રાખે છે.
ડાઇનિંગ ટેબલ ચોરસ અથવા લંબચોરસ આકારનું હોવું જોઈએ. ગોળ ટેબલ ઉર્જા સંતુલન માટે સારું માનવામાં આવતું નથી. ડાઇનિંગ રૂમ અથવા ડાઇનિંગ ટેબલ ઘરની પશ્ચિમ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. ભોજન કરતી વખતે પરિવારના સભ્યો પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને ભોજન કરવું જોઈએ. ડાઇનિંગ ટેબલની સામે અરીસો મૂકવો જોઈએ, જેનાથી ખોરાક દેખાય. આ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્રમાં, પૂર્વ દિશાને સકારાત્મક ઉર્જા અને સ્વાસ્થ્યની દિશા માનવામાં આવે છે. આ દિશામાં મુખ કરીને ભોજન કરવાથી પાચનક્રિયા સુધરે છે. બીજી તરફ, ઉત્તર દિશા જ્ઞાન અને સંપત્તિ સાથે સંકળાયેલી છે. જે વિદ્યાર્થીઓ અને કાર્યકારી વ્યાવસાયિકો માટે શુભ બનાવે છે.
વાસ્તુમાં, પશ્ચિમ દિશાને નફા અને આરામની દિશા માનવામાં આવે છે. આ દિશામાં મુખ કરીને ખાવાથી વ્યવસાય અને કાર્યમાં સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે.
દક્ષિણ દિશાને યમ અને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં મુખ કરીને ભોજન કરવું શુભ માનવામાં આવતું નથી. એવું કહેવાય છે કે આનાથી નકારાત્મક ઉર્જા અને માનસિક તણાવ વધી શકે છે.
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.