
હિંદુ ધર્મમાં ચાતુર્માસને ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે. ચાતુર્માસ એટલે ચાર મહિનાનો સમયગાળો. જેમાં ભક્તો ઉપવાસ, જપ, ધ્યાન અને ધાર્મિક અનુષ્ઠાન દ્વારા આત્મશુદ્ધિનો પ્રયાસ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર, દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગનિદ્રામાં જાય છે અને કાર્તિક મહિનાની પ્રબોધિની એકાદશીના દિવસે જાગે છે. આ ચાર મહિના એટલે કે શ્રાવણ, ભાદો, આસો અને કારતક ચાતુર્માસ તરીકે ઓળખાય છે.
પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે ભગવાન વિષ્ણુ ખરેખર ઊંઘી જતા નથી. આ યોગનિદ્રા એટલે એક ગહન ધ્યાનની સ્થિતિ છે. જે ભગવાન સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે, તેઓ કેવી રીતે ઊંઘી શકે? ધાર્મિક માન્યતા અનુસાર, ચાતુર્માસમાં સૃષ્ટિની રક્ષા કરવાની મુખ્ય જવાબદારી ભગવાન શિવ સંભાળે છે. એટલા માટે ચાતુર્માસનો પહેલો મહિનો શ્રાવણ મહિનો ભગવાન શિવજીને સમર્પિત માનવામાં આવે છે.
ચાતુર્માસનો સમય માત્ર ધાર્મિક વિધિઓ માટે જ નહીં પરંતુ આત્મસુધારણા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન વ્યક્તિએ પોતાની ખરાબ આદતો છોડવાનો સંકલ્પ લેવો જોઈએ. સાત્વિક આહાર લેવો જોઈએ. નિયમિત જપ અને ધ્યાન કરવું જોઈએ.
ચાતુર્માસ દરમિયાન કેટલાક ખાસ આહાર નિયમોનું પણ પાલન કરવામાં આવે છે. માન્યતા અનુસાર:
આ નિયમો પાછળ ધાર્મિક અને આયુર્વેદિક કારણ જોડાયેલું છે. ચોમાસાની ઋતુ દરમિયાન પાચનશક્તિ નબળી પડે છે. કેટલીક વસ્તુઓ શરીર માટે ભારે હોઈ શકે છે. આપણા ઋષિ મુનિઓએ ઋતુ પ્રમાણે ડાયટના નિયમો બનાવ્યા હતા. જેથી શરીર સ્વસ્થ રહી શકે.
ચાતુર્માસ દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો સામાન્ય રીતે કરવામાં આવતા નથી. પરંતુ જપ, તપ, વ્રત, પૂજા અને ભક્તિ માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાતુર્માસનો સાચો સંદેશ એ છે કે આ સમય બહારના દેખાવ કરતાં અંદરના પરિવર્તનનો છે. જ્યારે દેવતાઓ યોગનિદ્રામાં હોય છે, ત્યારે મનુષ્યએ પોતાના અંદરના સારા ગુણોને જાગૃત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સંયમ, સકારાત્મક વિચાર અને ભક્તિ દ્વારા જીવનને વધુ સારું બનાવવાનો આ શ્રેષ્ઠ સમય છે.
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.