Ashadha Amavasya 2021: હિન્દુ કેલેન્ડર મુજબ મહિનાના 30 દિવસો ચંદ્ર કળાઓના આધારે 15-15 એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ શુક્લ પક્ષ તરીકે અને બીજા કૃષ્ણ પક્ષ તરીકે ઓળખાય છે. અષાઢી અમાવસ્યા શુક્રવારે 09 જુલાઇએ એટલે આજે છે. એક વર્ષમાં 12 પૂર્ણિમા અને 12 અમાસ છે. આ તમામનું પોતાનું મહત્વ છે. અમાવસ્ય કૃષ્ણ પક્ષના અંતિમ દિવસે હોય છે. આ દિવસે આકાશમાં ચંદ્ર દેખાતો નથી. તેની અસર પૃથ્વીના તમામ જીવંત પ્રાણીઓ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રને મનનો દેવ માનવામાં આવે છે. આ દિવસે ચંદ્ર દેખાતો નથી, જેના કારણે મનમાં ગભરાટ વધે છે.
અષાઢી અમાસનો 09 જુલાઇને સવારે 05: 16 થી પ્રારંભ થશે અને 10 જુલાઇને સવારે 06:46 વાગ્યે સમાપ્ત થશે.
આ દિવસે વ્યક્તિએ વહેલી સવારે ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. સૂર્યોદય સમયે ભગવાન સૂર્યદેવને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરીને પૂર્વજોનું સ્મરણ કરવું જોઈએ. આ દિવસે પૂર્વજોને બધી વિધિઓ સાથે તર્પણ અર્પણ કરો અને પૂર્વજોની આત્માની શાંતિ માટે વ્રત રાખવું જોઈએ. આ દિવસે જરૂરિયાતમંદોને મદદ કરવી જોઇએ અને બ્રાહ્મણોને ભોજન આપવું જોઈએ.
આ દિવસે આપણે આપણા પૂર્વજોની આત્માને શાંતિ આપવા માટે શ્રાદ્ધ કરીએ છીએ. શાસ્ત્રો અનુસાર અમાવસ્યનું ઘણું મહત્વ છે. આ દિવસે આપણે આપણે દાન કાર્ય પણ કરીએ છીએ. આ દિવસે પૂજા કરવાથી આપણને આપણા પિતૃ દોષથી મુક્તિ મળે છે.
(નોંધ- આ લેખમાં વિવિધ માધ્યોમોમાંથી અને જ્યોતિષ પંચાગ દ્વારા મળેલી મહિતિના આધારે આ લેખ લખવામાં આવ્યો છે. )