શું તમે દેવુ થઈ જવાથી છો પરેશાન ? તો, અચૂક અજમાવો આ ઉપાય !

|

Mar 16, 2021 | 10:53 AM

એક મંત્રના પ્રતાપે વિઘ્નહર્તા ઋણમુક્તિના આશીર્વાદ પ્રદાન કરે છે. આ મંત્રના લીધે વ્યક્તિ ઝડપથી તેનું દેવું ચૂકવી શકે તેવાં સંજોગો સર્જાય છે. ધીમે ધીમે બધું જ ઋણ ચૂકવાઈ જાય છે. સાથે જ, આવકના સ્ત્રોત પણ વધી જાય છે.

શું તમે દેવુ થઈ જવાથી છો પરેશાન ? તો, અચૂક અજમાવો આ ઉપાય !
ઋણમાંથી મુક્ત કરશે વિઘ્નહર્તા

Follow us on

ગજાનન શ્રીગણેશ (SHREE GANESH) એ તો સુખકર્તા અને દુઃખહર્તા દેવ છે. જીવનમાં ભયંકર વિઘ્ન આવી પડ્યું હોય, તો પણ, શ્રીગણેશની કૃપાથી તે વિઘ્નોથી મુક્તિની મેળવી શકાય છે. આમ તો ગજાનન દરેક પ્રકારની સમસ્યાથી છૂટકારો અપાવનારા છે, અને એટલે જ તો આપણે તેમને વિઘ્નહર્તા કહીએ છીએ. પણ આજે વાત કરવી છે એ સમસ્યાની કે જેને લીધે વ્યક્તિ શાંતિની ઉંઘ પણ નથી લઈ શકતી. આ સમસ્યા એટલે દેવું !

ઘણીવાર એવું બને કે જરૂર પડે કોઈની પાસેથી રૂપિયા ઉછીના લીધાં હોય. પણ, અનેકવાર પ્રયત્ન કરવા છતાં એવાં સંજોગો જ ન બને કે રૂપિયા પાછા આપી શકાય. આ સંજોગોમાં ગજાનન શ્રીગણેશનું શરણું લો. અને ગણેશ કુબેર મંત્રનો જાપ કરો.

ગણેશ કુબેર મંત્ર 
“ૐ નમો ગણપતયે કુબેર યેકદ્રિકો ફટ્ સ્વાહા ।।”

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

નિત્ય આ મંત્રની એક માળા કરો. એટલે કે, મંત્રનો 108 વખત જાપ કરો. માન્યતા અનુસાર આ મંત્રને લીધે ગજાનન ગણેશ જીવનના તમામ સંકટોનું શમન કરી દે છે. સવિશેષ તો વિઘ્નહર્તા આ મંત્રના પ્રતાપે ઋણમુક્તિના આશીર્વાદ આપે છે. એટલે કે મંત્રજાપ કરનાર વ્યક્તિ ઝડપથી તેનું દેવું ચૂકવી શકે તેવાં સંજોગો સર્જાય છે. ધીમે ધીમે બધું જ ઋણ ચૂકવાઈ જાય છે. સાથે જ, ખોટી વસ્તુઓ પાછળ થતો ખર્ચ અટકી જાય છે અને આવકના સ્ત્રોત પણ વધી જાય છે.

Next Article