એક રોટલી દૂર કરશે તમારી કુંડળીના દોષ ! મુસીબતમાં રાહત અપાવે છે આ ઉપાય

ઘણીવાર આપણી માઠી ગ્રહદશાને કારણે જ આપણને વિવિધ કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડે છે. આપની પ્રગતિ આડેના આ અવરોધોને દૂર કરવા એક ખાસ ઉપાય અજમાવો. રોટલીમાં (Rotali) તુવેર, મસૂર અને અડદ રાખીને તે ગાયને ખવડાવો !

એક રોટલી દૂર કરશે તમારી કુંડળીના દોષ ! મુસીબતમાં રાહત અપાવે છે આ ઉપાય
Roti
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 10, 2023 | 6:27 AM

વ્યક્તિની કુંડળીમાં રહેલ દોષ તેના જીવનમાં અનેક પ્રકારના વિઘ્નો ઉભા કરે છે. કુંડળીમાં રહેલ ગ્રહદોષના કારણે વ્યક્તિને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઘરમાં કલેશ રહે છે, તેમજ પ્રગતિમાં સતત અવરોધોને લીધે પરિવારના સભ્યો પણ સતત પરેશાન રહે છે. તમને કદાચ નવાઈ લાગશે પણ તમારા ઘરમાં બનતી એક રોટલી તમને આ સમસ્યાથી ઘણે અંશે રાહત અપાવી શકે છે ! પણ, કેવી રીતે ? આવો, આજે તે વિશે જાણીએ.

ગ્રહદોષ અને રોટલીનો ઉપાય !

જ્યારે આપના જીવનમાં કંઇને કંઇ પરેશાનીઓ ચાલતી જ રહેતી હોય, ઘણાં ઉપાયો કરવા છતાં તેમાંથી બહાર ન નીકળી શકાતું હોય તો તેનો અર્થ એ છે કે આપની કુંડળીમાં ગ્રહ નક્ષત્રોની સ્થિતિ સારી નથી ! આપની કુંડળીમાં કોઇને કોઇ પ્રકારનો દોષ ઉત્પન્ન થયો હોઇ શકે છે. તેના કારણે જ આપે પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આપને જણાવી દઇએ કે આ સમસ્યાઓનું સમાધાન જ્યોતિષ શાસ્ત્રમાં જોવા મળે છે. જેમાંથી જ એક છે રોટલીનો ઉપાય ! માન્યતા અનુસાર રોટલીના સરળ ઉપાયો અજમાવીને તમે તમારી આર્થિક સમસ્યા, ઘરના કલેશ અને પ્રગતિમાં આવતા અવરોધોને દૂર કરવામાં મદદ મેળવી શકો છો !

સમસ્યાથી મુક્તિ અર્થે

જો તમારું જીવન ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છે અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી, તો રોટલીના નાના ટુકડા કરો અને તેમાં ખાંડ ઉમેરી કીડીઓને નાખો. માન્યતા અનુસાર આ ઉપાય ખૂબ જ ઝડપથી અસર બતાવે છે. અને આપને ખૂબ જ ઝડપથી વિવિધ સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ થાય છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

અટકેલા કાર્યોને પૂર્ણ કરવા

ઘણીવાર આપણી માઠી ગ્રહદશાને કારણે જ આપણને વિવિધ કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડે છે. આપની પ્રગતિ આડેના આ અવરોધોને દૂર કરવા એક ખાસ ઉપાય અજમાવો. રોટલીમાં તુવેર, મસૂર અને અડદ રાખીને તે ગાયને ખવડાવો. માન્યતા અનુસાર આ ઉપાયથી આપની કુંડળીમાં રહેલ ગ્રહ નક્ષત્ર શાંત થાય છે અને તેની સાથે સંકળાયેલ દોષો પણ દૂર થાય છે. આ સિવાય અટકેલા કાર્ય પૂર્ણ થાય તે માટે તમે માછલીઓને પણ રોટલીના ટુકડા ખવડાવી શકો છો.

કલેશથી મુક્તિ અર્થે

જો ઘરમાં વધારે જ કલેશ રહેતો હોય તો નિત્ય જ પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી શ્વાનને ખવડાવવી જોઈએ. જો બની શકે તો ઘરના સભ્યો ભોજન ગ્રહણ કરે તે પહેલા જ ગાયને રોટલી ખવડાવવી જોઈએ. માન્યતા અનુસાર આમ કરવાથી ઘરમાં સુખ અને પ્રેમ વધે છે, તેમજ ઘરમાં શાંતિ અકબંધ રહે છે. આ સિવાય અમાસના દિવસે ચોખાની ખીર કાગડાઓને ખવડાવવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે. અને ઘરના કલેશથી મુક્તિ મળે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">