AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય…રામલલ્લાની મૂર્તિ તૈયાર થઈ ત્યાં સુધી પરિવાર સાથે કોઈ ફોન નહી, જાણો શિલ્પકાર અરુણ યોગીરાજ વિશે

અયોધ્યામાં રામ મંદિર માટે અરુણ યોગીરાજની મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. યોગીરાજ 37 વર્ષના છે. તેઓ મૈસૂર મહેલના શિલ્પકારોના પરિવારમાંથી આવે છે. તેઓ અગિયાર વર્ષની ઉંમરથી શિલ્પ બનાવે છે.

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય...રામલલ્લાની મૂર્તિ તૈયાર થઈ ત્યાં સુધી પરિવાર સાથે કોઈ ફોન નહી, જાણો શિલ્પકાર અરુણ યોગીરાજ વિશે
| Updated on: Jan 16, 2024 | 9:56 AM
Share

અયોધ્યામાં આજથી રામ મંદિરનો અભિષેક વિધિ શરૂ થઈ ગઈ છે. આ કાર્યક્રમ 22 જાન્યુઆરી સુધી ચાલશે. અયોધ્યામાં રામ મંદિર માટે રામલલાની મૂર્તિ બનાવવા માટે ત્રણ શિલ્પકારો એક સાથે ત્રણ મૂર્તિઓ બનાવી રહ્યા હતા. મતદાન પ્રક્રિયા બાદ કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજની મૂર્તિ તરીકે પસંદગી કરવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે અરુણ યોગીરાજની પ્રશંસા કરી હતી.

ફોનને હાથ પણ નથી લગાવ્યો

યોગીરાજની પ્રતિમા બની ત્યાં સુધી બહારની દુનિયા ભૂલી ગયા હતા. પરિવાર સાથે વાત પણ કરી નથી. તેના બાળકો અને પત્ની સાથે પણ વાત કરી ન હતી. તેણે કેટલાય મહિનાઓ સુધી ફોનને હાથ પણ નથી લગાવ્યો. તેમની મહેનત અને એકાગ્રતાથી રામલલ્લાની ખૂબ જ સુંદર પ્રતિમા બનાવવામાં આવી છે. આ દરમિયાન ટ્રસ્ટે હજુ સુધી મૂર્તિનો ફોટો જાહેર કર્યો નથી.

તે દિવસોમાં યોગીરાજનું જીવન અલગ હતું

ચંપત રાયે આગળ જણાવ્યું કે, શિલ્પ બનાવવાના કામને કારણે અરુણ યોગીરાજે કેટલાંક મહિનાઓ સુધી પોતાનું જીવન કેવી રીતે વિતાવ્યું તેનો તેમને અંદાજ પણ નહીં હોય. જ્યારે સ્ટેચ્યુ પર કામ ચાલી રહ્યું હતું, ત્યારે તેણે ઘણા મહિનાઓ સુધી ફોનને હાથ પણ નહોતો લગાવ્યો. તેણે પોતાના બાળકો અને પરિવાર સાથે વાત પણ કરી ન હતી.

કોણ છે અરુણ યોગીરાજ?

અરુણ યોગીરાજ 37 વર્ષના છે. તેઓ મૈસૂર મહેલના શિલ્પકારોના પરિવારમાંથી આવે છે. તેણે મૈસુર યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. તેમના પરિવારની આ પાંચમી પેઢી મૂર્તિ નિર્માતા છે. તેના પિતા કુશળ શિલ્પકાર છે. તેમણે ગાયત્રી મંદિર અને ભુવનેશ્વરી મંદિરમાં શિલ્પો બનાવ્યા છે.

નરેન્દ્ર મોદીએ કરી પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગીરાજની આવડતની પ્રશંસા કરી છે. અરુણે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરી છે. તેમણે કેદારનાથમાં આદિ શંકરાચાર્યની પ્રતિમા બનાવી છે. તેણે અગિયાર વર્ષની ઉંમરે શિલ્પ બનાવવાનું શરૂ કર્યું. 2006માં તેમણે દેવી દુર્ગાની પ્રથમ મૂર્તિ બનાવી હતી. મૈસુર સ્ટેશન પર પણ અરુણ યોગીરાજની કળા પ્રખ્યાત છે. આ સ્થાન પર તેણે તેની ઘણી રચનાઓ મુકી છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">