
ભારતના સૌથી પ્રખ્યાત યુટ્યુબર્સમાંથી એક સૌરવ જોશી આ દિવસોમાં પોતાની કરોડોની લક્ઝરી કારને લઈને ખૂબ જ પરેશાન છે. તેમના તાજેતરના વીડિયો વ્લોગ ‘Race With Brothers. Kon Jeetega?’ એ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા છેડી દીધી છે. 41 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતા સૌરવે લાઈવ કેમેરા પર પોતાની મર્સિડીઝ-બેન્ઝ SUV ના ડેશબોર્ડના આંકડા બતાવીને દાવો કર્યો કે ગાડીની માઈલેજ અચાનક ખૂબ જ ઓછી થઈ ગઈ છે.
તેમણે આના માટે દેશમાં મળી રહેલા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલને જવાબદાર ગણાવ્યું છે. સૌરવની આ ચિંતાએ એ લાખો વાહન માલિકોના ધબકારા વધારી દીધા છે, જેઓ પોતાની ગાડીઓમાં રોજ પેટ્રોલ પુરાવી રહ્યા છે.
ઉત્તરાખંડના હલ્દ્વાનીના રહેવાસી સૌરવ જોશીએ પોતાના વ્લોગમાં જણાવ્યું કે માત્ર બે દિવસની અંદર તેમની લક્ઝરી જર્મન કારની માઈલેજ ખરાબ રીતે ઘટી ગઈ. તેમણે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે જે કારની માઈલેજ પહેલાં 17 કિલોમીટર પ્રતિ લીટરની આસપાસ હતી, તે અચાનક ઘટીને 9 પર આવી ગઈ. વાત અહીં જ ન અટકી, બીજા જ દિવસે ડેશબોર્ડ પર આ આંકડો માત્ર 5 કિલોમીટર પ્રતિ લીટર દર્શાવવા લાગ્યો. સૌરવે સીધી રીતે લોકલ પેટ્રોલ પંપો પરથી મળતા બળતણને આના માટે કસૂરવાર ઠેરવ્યું અને કહ્યું કે આ બધું ઇથેનોલ મિક્સ પેટ્રોલના કારણે થઈ રહ્યું છે.
આ વીડિયોમાં સૌરવની પત્ની અને કો-વ્લોગર અવંતિકા ભટ્ટે પણ પોતાની ચિંતા અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આટલી મોંઘી ગાડી પર આટલા બધા પૈસા ખર્ચવા છતાં આવું પરિણામ મળી રહ્યું છે. અવંતિકાએ જણાવ્યું કે પહેલાં ગાડીની ટાંકી ફૂલ કરાવવા પર અંદાજે 800 કિલોમીટર સુધીની રેન્જ મળતી હતી, પરંતુ હવે રીફિલ કરાવ્યા પછી ગાડીની સિસ્ટમ માત્ર 480 કિલોમીટરની અંદાજિત રેન્જ જ બતાવી રહી છે. માઈલેજના આ મોટા ઝટકાએ તેમને ડરાવી દીધા છે કે ક્યાંક કારના પેટ્રોલ એન્જિનમાં કોઈ મોટી મિકેનિકલ ખામી ન સર્જાઈ જાય.
I am scared to fill ethanol-blended petrol in my car. My Mercedes used to give 16–17 km/l mileage, but now it’s dropped to 5. My car will be ruined soon.
—India’s biggest vlogger, Saurav Joshi pic.twitter.com/IQgSgogFHm
— Mohit Chauhan (@mohitlaws) July 12, 2026
સૌરવ જોશીએ વાતચીતમાં એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની પાસે મર્સિડીઝની જ એક ઇલેક્ટ્રિક SUV (G-Wagon) પણ છે, તેથી તેમાં ઇથેનોલને લઈને એવી કોઈ ટેન્શન નથી હોતી. પરંતુ આ પેટ્રોલ ગાડીને લઈને ડર કાયમ રહે છે. સૌરવનું કહેવું છે કે હલ્દ્વાની જેવા ઉપનગરો કે નાના શહેરોમાં રહેતા લોકો માટે મર્સિડીઝ જેવી પ્રીમિયમ ગાડી બગડવી એ એક મોટી આફત છે. જો ગાડીમાં કોઈ ટેકનિકલ ખામી આવે છે, તો તેને ઠીક કરાવવા માટે સીધી દિલ્હી મોકલવી પડશે. આવા સમયમાં માત્ર પેટ્રોલ પર જ ફાલતુ ખર્ચ નથી થઈ રહ્યો, પરંતુ ગાડી બગડવા પર રિપેરિંગનો ખર્ચ પણ મોટો થશે.
આ સમગ્ર વિવાદ અને ગ્રાહકોની વધતી ફરિયાદો પર મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સંતોષ અય્યરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે સ્વીકાર્યું કે ઘણા ગ્રાહકો આ મુદ્દાને લઈને ડીલરશિપ પર પૂછપરછ કરી રહ્યા છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે કંપનીએ વર્ષ 2020 પછી જે પણ ગાડીઓ વેચી છે, તે ઇથેનોલ મિશ્રણને સહન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અય્યરે અસલી આંગળી પેટ્રોલ પંપો પર થતી ગેરકાયદેસર ભેળસેળ તરફ ઉઠાવી હતી. તેમણે દાવો કર્યો કે E20ના નામે ઈંધણમાં ભેળસેળની રમત વધી ગઈ છે.
ये व्लॉगर सौरभ जोशी है, कहते है –
इनकी मर्सिडीज पहले 17 का माइलेज देती थी जो इथेनॉल मिक्सिंग के बाद अब 5 का माइलेज देने लगी है।
कोरा झूठ बोल रहे है-
6-10% माइलेज निश्चित रूप से कम हो रहा है, लेकिन इतना।
दूसरी बात- अपने पास तो नहीं है पर मुझे नहीं लगता कोई भी मर्सिडीज 17 का… pic.twitter.com/97rPKCN3Nv
— Baliyan (@Baliyan_x) July 12, 2026
બીજી તરફ, ભારત સરકાર પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઈલની આયાત પર નિર્ભરતા ઓછી કરવા માટે દેશભરમાં 20 ટકા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલનો નિયમ ઝડપથી લાગુ કરી રહી છે. સોશિયલ મીડિયા પર એન્જિન બગડવાના અને કાટ લાગવાના દાવાઓને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે આ વાતોને ‘વિચારી-સમજીને ઊભી કરાયેલી ખોટી વાર્તા’ (ખોટો નેરેટિવ) ગણાવી છે. ગડકરીએ પડકાર ફેંકતા કહ્યું કે E20 પેટ્રોલના કારણે કાર બગડી હોવાનો અત્યાર સુધી એક પણ પ્રમાણિત કિસ્સો સામે આવ્યો નથી અને સોશિયલ મીડિયા પર માત્ર અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.