સુરતનું આગ્રુપ 40 શહાદતોની સામે 4 હજાર સૈનિકોને સરહદે મોકલવાની કરી રહ્યું છે તૈયારી, 7 યુવાનોએ તો મોરચો પણ સંભાળી લીધો

|

Feb 21, 2019 | 6:32 AM

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં એક અઠવાડિયા કરતા વધુ સમય વીતી ચૂક્યો છે. લોકોમાં આક્રોશની આગ શમવાની વાત તો છોડો પરંતુ રોષ અને દુઃખની લાગણી વધી રહી છે. સોશિયલ મીડિયા હોય કે અન્ય કોઈ પણ માધ્યમ, દેશના ખૂણે ખૂણેથી  લોકો પાકિસ્તાન સામે બદલો લેવાની માગ કરી રહ્યાં છે. બસ એક જ અવાજ આવી રહ્યો છે કે […]

સુરતનું આગ્રુપ 40 શહાદતોની સામે 4 હજાર સૈનિકોને સરહદે મોકલવાની કરી રહ્યું છે તૈયારી, 7 યુવાનોએ તો મોરચો પણ સંભાળી લીધો

Follow us on

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં એક અઠવાડિયા કરતા વધુ સમય વીતી ચૂક્યો છે. લોકોમાં આક્રોશની આગ શમવાની વાત તો છોડો પરંતુ રોષ અને દુઃખની લાગણી વધી રહી છે. સોશિયલ મીડિયા હોય કે અન્ય કોઈ પણ માધ્યમ, દેશના ખૂણે ખૂણેથી  લોકો પાકિસ્તાન સામે બદલો લેવાની માગ કરી રહ્યાં છે.

બસ એક જ અવાજ આવી રહ્યો છે કે આતંકવાદીઓને જવાબ આપો. તેમનો ખાત્મો બોલાવો. કેન્ડલ માર્ચ, રેલી, વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચારોની વચ્ચે સુરતના યુવાનોનું ગ્રૂપ એ જ જોશ સાથે કરી રહ્યા છે ભારતીય સેનામાં જોડાવાની તૈયારી. સુરતના ડીંડોલી વિસ્તારમાં ‘દૌડ યહી જિંદગી’ નામના ગ્રૂપ સાથે જોડાયેલા યુવાનો છેલ્લા 8 મહિનાથી દિવસ રાત તનતોડ મહેનત કરી રહ્યા છે. તેમનું સપનું છે કે ભારતીય સેનામાં જોડાઈને દેશ માટે તેઓ કંઈ કરી શકે.

આ ગ્રુપમાં 30થી વધુ નવયુવાનો છે. જેમાંથી કોઈ વિદ્યાર્થી છે તો કોઈ નોકરિયાત. સમય કાઢીને તેઓનો નિત્યક્રમ છે કે વહેલી સવારે અથવા મોડી રાત સુધી તનતોડ મહેનત કરીને ભારતીય સેનામાં જોડાવા માટે કાબેલ બને. ડામરના રસ્તા પર કોઈપણ જાતની સુવિધા વિના તેઓ જે મહેનત કરી રહ્યા છે તે જોઈને કોઈને પણ ગર્વની લાગણી થાય.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહત્ત્વની વાત તો એ છે કે આ જ ગ્રુપના નવયુવાનોમાંથી 7 જેટલા યુવાનોએ સીઆરપીએફ અને બીએસએફમાં ભરતી કરી લીધી છે. પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી તેમના જુસ્સામાં બમણો વધારો થયો છે. 40 જવાનોની શહીદી તેઓ એળે નહીં જવા દેવાના ધ્યેય સાથે એ જ જોશથી મહેનત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દેશે 44 જવાનો ગુમાવ્યા છે. પણ અમે અમારા જેવા બીજા 4 હજાર જવાનોને તૈયાર કરીને દેશની સરહદ પર મોકલવા તૈયાર છીએ.

[yop_poll id=1653]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article