Cyclone Alert : વાવાઝોડાને લઈને આગામી કલાકો ગુજરાત માટે મહત્વના, લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ

ગુજરાત માટે આગામી કલાકો ખૂબ જ મહત્વના છે. આજે સાંજ સુધીમાં ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઇ શકે છે. દક્ષિણ કોંકણ અને ગોવાના દરિયાકાંઠે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર એક લો પ્રેશર સિસ્ટમ બની છે. આ સિસ્ટમ આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ તીવ્ર બનવાની શક્યતા છે.

Cyclone Alert : વાવાઝોડાને લઈને આગામી કલાકો ગુજરાત માટે મહત્વના, લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ
| Updated on: May 23, 2025 | 8:41 AM

ગુજરાત માટે આગામી કલાકો ખૂબ જ મહત્વના છે. આજે સાંજ સુધીમાં ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઇ શકે છે. દક્ષિણ કોંકણ અને ગોવાના દરિયાકાંઠે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર એક લો પ્રેશર સિસ્ટમ બની છે. આ સિસ્ટમ આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ તીવ્ર બનવાની શક્યતા છે. આ સિસ્ટમ આગામી બે દિવસ સુધી કોંકણ કિનારાની નજીક રહેશે અને ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે.

પરિસ્થિતિઓ અને વાતાવરણ અનુકૂળ

હવામાન વિભાગની વેબસાઇટ સ્કાયમેટના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ 17.2°ઉત્તર અક્ષાંશ અને 72.3°પૂર્વ રેખાંશની નજીક કેન્દ્રિત છે. દરિયાની સપાટીનું તાપમાન 29-30°C છે અને ઉપરના પવનો પણ અનુકૂળ છે. મોટાભાગના હવામાન મોડેલો આ સિસ્ટમના ડિપ્રેશન અને સંભવતઃ ચક્રવાતમાં ફેરવાવાની મધ્યમ શક્યતા આપે છે. જોકે, કેટલાક મોડેલો તેની તીવ્રતા વિશે થોડા ઓછા આશાવાદી છે. જ્યારે આ સિસ્ટમ ડિપ્રપેશનમાં ફેરવાશે, ત્યારે પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

પવનની દિશા અને ગતિ કરે છે સિસ્ટમને અસર

આ સિસ્ટમ ઉપલા વાતાવરણના “રિજ” ની ખૂબ નજીક સ્થિત છે, જેના કારણે તેની ગતિ અને દિશા નક્કી કરતા પવન નબળા અને અસ્થિર રહે છે. આ જ કારણ છે કે તેના ચોક્કસ માર્ગ અને તે વધુ તીવ્ર બનશે કે કેમ તે અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. દરિયાકાંઠાના વિસ્તારોની નજીક હોવાને કારણે તેના વિકાસ પર પણ અસર પડી રહી છે.

વાવાઝોડું બનવાની છે શક્યતા

આ સમયે અરબી સમુદ્રમાં રચાયેલી આવી પ્રણાલીઓ ઘણીવાર અનિશ્ચિત અને જટિલ હોય છે. શરૂઆતના સંઘર્ષ પછી, આ સિસ્ટમો સામાન્ય રીતે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર તરફ, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારા તરફ આગળ વધે છે. આગામી 36 કલાક સુધી સતત દેખરેખ રાખવી જરૂરી છે. જોકે, હાલમાં ચક્રવાત બનવાની શક્યતા સંપૂર્ણપણે નકારી શકાય નહીં. તમામ સંબંધિત એજન્સીઓને સાવચેતી રાખવા અને સંભવિત કટોકટી માટે સંસાધનો તૈયાર રાખવાની સલાહ આપવામાં આવે છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..