લફરાબાજ છે શીજાન, 3-4 મહિના મારી દિકરીનો ઉપયોગ કર્યો-જુઓ તુનીશાની માતાનો Video

|

Jan 05, 2023 | 1:41 PM

તુનિષાની માતાએ કહ્યું કે શીજને તુનીષા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ શીજાનને અન્ય યુવતીઓ સાથે પણ સંબંધો હતા.

અભિનેત્રી તુનીષા શર્માના મૃત્યુ બાદ પરિજનો આરોપ લગાવી રહ્યા છે કે આરોપી શીજાન ખાને જ, તુનીષાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરતો હતો. તુનિષાની માતાએ કહ્યું કે, શીજાને તુનીષા શર્માની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ શીજાનને અન્ય યુવતીઓ સાથે પણ સંબંધો હતા. આ પહેલા તુનિષાના મામાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તુનિષા ખૂબ જ પરેશાન હતી, તેણે કહ્યું હતું કે તે આવું કેવી રીતે કરી શકે છે. બ્રેકઅપ બાદ તુનીષા શર્મા અને શીજાન ખાન વચ્ચે ઝઘડો થયો હતો. જુઓ વીડિયો શુ કહે છે તુનીષા શર્માની માતા..

ટીવી9 ભારતવર્ષ સાથે વાત કરતા તુનીષાની માતાએ કહ્યું કે, શીજાનખાનને અન્ય છોકરીઓ સાથે સંબંધ હતો. છતા મારી દિકરી સાથે સંબંધ રાખ્યો. શીજાનખાને તુનીષાને દગો આપ્યો છે. પહેલા સંબંધ બનાવ્યો, લગ્નનું વચન આપ્યુ અને પછી સંબંધ તોડી નાખ્યો. તુનીષાના મોત માટે શીજાનખાન જ જવાબદાર છે.

Published On - 2:32 pm, Mon, 26 December 22

Next Video