Rahul Gandhi Modi surname case: ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધી માનહાનિ કેસમાં સજા પર સ્ટેની અરજી ફગાવી, અત્યાર સુધી શું થયું જુઓ Timeline Video
માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે માંગતી રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ આજે એટલે કે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો છે. ચાલો જાણીએ કે અત્યાર સુધી રાહુલ ગાંધી મોદી સરનેમ કેસમાં શું શું થયું.
મોદી સરનેમના માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે માંગતી રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ આજે એટલે કે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ હેમંત પ્રાચાકે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુકવાની અરજી ફગાવી છે. ત્યારે ચાલો જાણીએ કે અત્યાર સુધી રાહુલ ગાંધી મોદી સરનેમ કેસમાં શું-શું થયું.
રાહુલ ગાંધી મોદી સરનેમ કેસઃ અત્યાર સુધી શું થયું?
- 23 માર્ચ 2023 ના રોજ, રાહુલ ગાંધીને સુરત જિલ્લા અદાલત દ્વારા મોદી સરનેમ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
- 24 માર્ચે, રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા કારણ કે દોષિત રાજનેતા સાંસદ રહી શકતા નથી.
- રાહુલ ગાંધીએ સજા પર સ્ટે આપવા માટે સુરત સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો. 20 એપ્રિલના રોજ, સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે સાંસદ અને દેશની બીજી સૌથી મોટી રાજકીય પાર્ટીના ભૂતપૂર્વ વડા હોવાના કારણે રાહુલ ગાંધીએ વધુ સાવચેત રહેવું જોઈતું હતું.
- 25 એપ્રિલે રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટના આદેશને પડકારતી હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
- મે મહિનામાં, ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે અંતિમ આદેશ ઉનાળાના વેકેશન પછી પસાર કરવામાં આવશે.
- સુરતમાં પૂર્ણેશ મોદી કેસ કે જેમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા તે પછી, રાહુલ ગાંધી પર અન્ય ઘણા માનહાનિના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આવી જ એક અરજી રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ દાખલ કરી છે. પટના હાઈકોર્ટે 4 જુલાઈએ ફોજદારી માનહાનિ કેસની કાર્યવાહી પર 12 જાન્યુઆરી, 2023 સુધી રોક લગાવી હતી.
- ઝારખંડ હાઈકોર્ટે 4 જુલાઈના રોજ એડવોકેટ પ્રદીપ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા અન્ય માનહાનિના કેસ અંગે એક આદેશ પસાર કર્યો હતો અને કહ્યું હતું કે 16 ઓગસ્ટના રોજ આગામી સુનાવણી સુધી રાહુલ ગાંધી સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવી જોઈએ નહીં.
મોદી સરનેમનો મુદ્દો શું છે?
2019 માં, કર્ણાટકના કોલાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે, રાહુલ ગાંધીએ મોદી સરનેમને ચોરો સાથે જોડતી ટિપ્પણી કરી હતી. નીરવ મોદી વિશે બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, બધા ચોરોની અટક મોદી કેમ હોય છે?
Latest Videos
Latest News