શ્રીલંકામાં આર્થિક કટોકટી (Sri lanka Crisis) બાદ હવે રાજકીય સંકટ પણ ઘેરી બની રહ્યું છે. કારણ કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) દેશ છોડીને માલદીવ જતા રહ્યા છે. તેમના દેશ છોડતાની સાથે જ મોટી સંખ્યામાં વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. શ્રીલંકાના વડા પ્રધાનના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા છે. દેખાવકારોએ રાષ્ટ્રપતિના નિવાસસ્થાન પર કબજો જમાવી લીધો છે. દેશની સરકારની વ્યવસ્થા દેખાઇ નથી રહી અને ભીડ બેકાબૂ બની રહી છે.