કુંડળીમાં સર્જાતા ગ્રહો અને તેના માધ્યમથી સર્જાતા યોગ ક્યારેક સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે. જ્યોતિષના ગણિત મુજબ તેને સમજવું અને પછી અર્થઘટન કરવું કપરૂ કામ છે. જો કે ટીવી 9 ડિજીટલના પ્લેટફોર્મના માધ્યમથી અમે શરૂ કરી છે વિશેષ સિરીઝ કે જેમાં તમે કુંડળીમાં બનતા 64 પ્રકારના વિવિધ યોગ વિશે માહિતિ પણ મેળવી શકશો અને સવાલ પુછીને જાણકારી પણ લઈ શકશો એ વિવિધ યોગ વિશે.
જાણીતા જ્યોતિષી ચેતન પટેલ સાથે આ સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી અને જાણ્યું કે ચંદ્ર ગ્રહથી કેવા પ્રકારની અસરો ઉદેભવે છે અને જાતક અગર ચંદ્ર રાશિ પ્રમાણે નામ નથી રાખતો તો તેની કેવા પ્રકારની અસરો થાય છે જેવા રસપ્રદ વિષય પર બૃહદ માહિતિ તો મળી જ સાથે જ જાણો કે ચંદ્ર કેવી રીતે માણસના મન પર અસર કરે છે. જુઓ આ વિડિયો અને મેળવો ચંદ્રથી બનતા યોગ અને ફળકથન વિશેની માહિતિ.
આ કાર્યક્રમ દરરોજ બપોરે 2 વાગ્યે ટીવી 9 ના ડિજીટલ પ્લેટફોર્મ પરથી આપ લાઈવ જોઈ શકશો અને કોમેન્ટ કરીને આપ સવાલના માધ્યમથી લાઈવ પણ પુછી શકશો યોગ વિશે જે આપ જાણવા માગો છો.
Published On - 3:26 pm, Fri, 8 September 23