કેન્દ્ર સરકાર (Central Government) તરફથી જનધન ખાતા (JanDhan Account)ની સુવિધા ગ્રાહકોને આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જન ધન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાને 7 વર્ષથી વધુનો સમય થઈ ચુક્યો છે.. આ બેંક ખાતા (Bank account)માં સરકાર તરફથી અનેક ખાસ સુવિદ્યાઓ આપવામાં આવે છે. જો તમે પણ આ ખાતુ ખોલાવી રાખ્યુ છે કે પછી ખાતુ ખોલાવવાનો પ્લાન કરી રહ્યો છો તો જાણી લો આ એકાઉન્ટ વિશેની તમામ જરૂરી માહિતી.
સૌથી પહેલા વાત તમારા કામની એટલે કે તમને થતા લાભની કરીએ તો જનધન યોજના અનુસાર ખોલાયેલા ખાતામાં ગ્રાહકોને 11 લાભ મળે છે. આ ફાયદા કયા છે તે જાણી લો
હવે તમે તેના ફાયદા જાણો, જો આ ખાતુ ખોલાવવા માંગતા હોય તો જાણી લો ક્યાં અને કેવી રીતે આ યોજના અંતર્ગત ખાતુ ખોલાવી શકાશે.
– જનધન યોજનામાં ગરીબોના ખાતા ઝીરો બેલેન્સ પર બેંક, પોસ્ટઓફિસ અને રાષ્ટ્રીય બેંકોમાં ખોલી શકાય છે.
– મહત્વની વાત એ છે કે આ એકાઉન્ટની સાથે સુવિધાઓનો લાભ તેમને જ મળશે, જેમનું ખાતું આધાર સાથે લિંક હશે.
હવે જાણો કે તમે કેવી રીતે આ યોજના અંતર્ગત ખાતુ ખોલાવી શકો છો.
જો તમે તમારા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા માગતા હોય તો તમે ઘરે બેઠા બસ એક મિસ્ડ કોલ (Missed Call) દ્વારા તેની જાણકારી લઈ શકો છો.
જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જન ધન એકાઉન્ટ છે તો મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણી શકો છો
– બેલેન્સ જાણવા માટે 1800-4253800 અથવા તો 1800-112211 નંબર પર મિસ્ડ કોલ કરો
– ગ્રાહક ધ્યાન આપે કે, તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી જ મિસ્ડ કોલ કરવાનો છે.
આ પણ વાંચો : Kam Ni Vaat: ઈન્ટરનેટ, સ્માર્ટફોન વગર જ હવે કરી શકશો UPI પેમેન્ટ, RBIએ લોન્ચ કરી નવી સર્વિસ
આ પણ વાંચો : Kam Ni Vaat: જો તમારી પાસે એકથી વધારે બેંક અકાઉન્ટ હોય તો થઈ જજો સાવધાન, વધુ બેન્ક અકાઉન્ટ બની શકે છે નુકસાનકારક
Published On - 4:19 pm, Sun, 17 April 22