ભાજપ હિસાબ કરે કે ન કરે હું હિસાબ કરીશ : સાંસદ રાજેશ ચુડાસમાની વિરોધીઓને ચેતવણી

|

Jun 20, 2024 | 8:43 PM

રાજેશ ચુડાસમાએ કહ્યું કે, ભગવાનજી બારડે મને દીકરાની જેમ મદદ કરી છે એટલે એમના વિરોધમાં બોલવાની તો કોઈ વાત જ નથી. તો વિરોધીઓને ચેતવણીવાળા નિવેદન પર રાજેશ ચુડાસમાએ ફેરવી તોળતા કહ્યું કે, જે લોકો રાજકારણમાં ન હોય અને પોતાના કામ માટે આવતા હોય તેના માટે કહ્યું હતું. નિવેદન પાછળ કોઈ રાજકીય હેતુ ન હતો.

ભાજપ હિસાબ કરે કે ન કરે હું હિસાબ કરીશ : સાંસદ રાજેશ ચુડાસમાની વિરોધીઓને ચેતવણી
Rajesh Chudasma

Follow us on

ગીર સોમનાથના પ્રાચીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, 5 વર્ષ મને જે નડ્યા તેમને હું મુકવાનો નથી. ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ન કરે હું હિસાબ કરીશ. મને હરાવવા ઘણા પરિબળો કામ કરતા હતા તેનો હિસાબ થશે.

જો કે, આ મામલે જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે ચુંટણી લડનાર કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ ભગા બારડ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર વેરાવળના ધારાસભ્ય ભગા બારડના મતવિસ્તારમાંથી જ રાજેશ ચુડાસમાના મત તુટ્યા હોવાનો હીરા જોટવાએ દાવો કર્યો હતો. ભગા બારડને સીધે સીધુ ન કહી શકતા રાજેશ ચુડાસમાએ આ રીતે બળાપો કાઢ્યો હોવાનો હીરા જોડવાએ દાવો કર્યો છે.

મની પ્લાન્ટથી શું નુકસાન થાય છે? જાણી લો
વરસાદની ઋતુમાં કયાં શાકભાજી ન ખાવા જોઈએ?
ફ્રિજમાંથી આવી રહી છે દુર્ગંધ ? તો દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ
વાઇન પીવાથી વધે છે ચહેરાની સુંદરતા ! જાણો કઈ રીતે
આજનું રાશિફળ તારીખ : 29-06-2024
ભારત કે દક્ષિણ આફ્રિકા, જીતે કોઈ પણ, ઈતિહાસ જરૂર રચાશે

તો કોંગ્રેસના દાવા પર પ્રતિક્રિયા આપતા રાજેશ ચુડાસમાએ કહ્યું કે, ભગવાનજી બારડે મને દીકરાની જેમ મદદ કરી છે એટલે એમના વિરોધમાં બોલવાની તો કોઈ વાત જ નથી. તો વિરોધીઓને ચેતવણીવાળા નિવેદન પર રાજેશ ચુડાસમાએ ફેરવી તોળતા કહ્યું કે, જે લોકો રાજકારણમાં ન હોય અને પોતાના કામ માટે આવતા હોય તેના માટે કહ્યું હતું. નિવેદન પાછળ કોઈ રાજકીય હેતુ ન હતો.

Published On - 8:43 pm, Thu, 20 June 24

Next Article