Ahmedabad: ઓઢવમાં પરિવારની હત્યાના કેસમાં ફરાર વિનોદને શોધવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી, સીસીટીવી અને કોલ ડીટેઇલ પરથી તપાસ શરુ

હત્યા પાછળ પારિવારિક કારણો હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. વિનોદે કેટલાક દિવસ પહેલા સાસુ પર હુમલો કર્યો હતો અને હાલમાં પણ  વિનોદ મરાઠીએ પોતાના પરિવાર વિશે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાવી નથી, તેને લઈને પણ તેના પર શંકા વ્યક્ત થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 9:01 AM

અમદાવાદ (Ahmedabad)ના વિરાટનગરમાં એકજ પરિવારના 4 સભ્યોની હત્યા (Murder)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હત્યાના કેસમાં વૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરાનો મૃતદેહ મળી આવ્યો છે. મોડી સાંજે ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તો ડેપ્યુટી પોલીસ કમિશનર (Deputy Police Commissioner) પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. બે મહિલાનો મૃતદેહ અલગ અલગ રૂમમાંથી મળી આવ્યો છે. જોકે ચોંકાવનારી માહિતી એ છે કે ઘરનો મોભી વિનોદ મરાઠી ફરાર છે. પોલીસને હાલ ફરાર થયેલા વિનોદ મરાઠી પર આશંકા છે. જેથી ફરાર વિનોદને શોધવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે.

ફરાર વિનોદને શોધવા પોલીસની એક ટીમ સ્થાનિક વિસ્તારમાં તપાસ કરશે. એક ટીમ વિનોદના મૂળ ગામમાં તપાસ હાથ ધરી છે. સીસીટીવી અને કોલ ડીટેઇલ પરથી પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તો એફ.એસ.એલ.ની ટીમ દ્વારા આજે પણ વિનોદના ઘરે તપાસ કરવામાં આવી રહી છે.

આ પરિવારના ચારેય સભ્યોની 4 દિવસ પહેલા જ હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. મૃતદેહો પર તીક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા છે. મૃતકોની વાત કરીએ તો સોનલ વિનોદ મરાઠી અને સોનલના 70 વર્ષના દાદી સુભદ્રાબેનની હત્યા કરાઈ છે. તો આ સાથે બે બાળકોમાં પ્રગતિ અને ગણેશની પણ હત્યા થઇ છે. 15 દિવસથી પરિવાર અહીં રહેવા આવ્યો હતો. પહેલા આ પરિવાર નિકોલમાં રહેતો હતો. હત્યા પાછળ પારિવારિક કારણો હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. વિનોદે કેટલાક દિવસ પહેલા સાસુ પર હુમલો કર્યો હતો અને હાલમાં પણ  વિનોદ મરાઠીએ પોતાના પરિવાર વિશે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાવી નથી, તેને લઈને પણ તેના પર શંકા વ્યક્ત થઈ રહી છે.

આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મૃતક સોનલની માતાએ દીકરી મળતી ન હોવાનો રિપોર્ટ લખાવ્યો હતો. જે બાદ તપાસ શરૂ થઈ અને સમગ્ર ઘટના સામે આવી છે. હાલ ચારેય મૃતદેહના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ વધુ ખુલાસા થઈ શકે છે.

આ પણ વાંચો-

Navsari: ધોરણ 12ના વિદ્યાર્થીનું પરીક્ષા પહેલા હાર્ટ એટેકથી મોત ,પરિવારે મૃતક વિદ્યાર્થીની આંખોનું કર્યું દાન

આ પણ વાંચો-

Ahmedabad: શિવાનીએ વેઇટ પાવર લિફ્ટિંગમાં દેખાડ્યો દમ, 120 કિલો ડેડ લિફ્ટિંગમાં જીત મેળવી ‘ગોલ્ડન ગર્લ’ બની

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">