Video : 21 જાન્યુઆરીએ ખોડલધામ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ યોજાશે, CM ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે ધ્વજારોહણ

રાજકોટના (Rajkot) કાગવડ સ્થિત ખોડલધામનો ભવ્ય છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ યોજાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખોડલધામમાં ધ્વજારોહણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 1:49 PM

રાજકોટમાં પાટીદારોની આસ્થાનુ કેન્દ્ર ખોડલધામ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ યોજાવા જઇ રહ્યો છે. મા ખોડિયારનું મંદિર અને લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું ધામ એવા ખોડલધામ કાગવડની પ્રતિષ્ઠાને 21 જાન્યુઆરી 2023 એ 6 વર્ષ પુરા થઇ રહ્યા છે. ત્યારે 21 જાન્યુઆરીએ યોજાનારા પાટોત્સવમાં લાખો લેઉવા પાટીદાર સમાજના લોકો જોડાશે. 21 જાન્યુઆરીએ કાગવડના ખોડલધામ મંદિરમાં મહાયજ્ઞ, મહા આરતી, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામનો ભવ્ય છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ યોજાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખોડલધામમાં ધ્વજારોહણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે, આગામી 21 જાન્યુઆરીએ ખોડલધામનો ભવ્ય છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ યોજાશે. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજારોહણ કરાશે.

નરેશ પટેલે કહ્યું કે આ કાર્યક્રમમમાં નવા મંત્રી મંડળના તમામ પ્રધાનો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં દેશભરના ખોડલધામના કન્વીનરો આ કાર્યક્રમમમાં ઉપસ્થિત રહેનાર છે. મહત્વનું છે કે આસ્થાનું પ્રતીક ખોડલધામ સૌરાષ્ટ્રનું ત્રીજું સૌથી મોટું તીર્થસ્થળ છે અને ખોડલધામ લેઉવા પટેલનું આત્મગૌરવનું પ્રતીક છે.

આ મંદિરના નિર્માણ માટે બે લાખ ઘનફૂટ પથ્થરો ખરીદાયા હતા અને પિલર, છત, 600થી વધુ મૂર્તિઓની કોતરણી કરાઈ હતી. દિવાલો પર રામાયણ, મહાભારત, ગીતાના પ્રસંગો આલેખવામાં આવ્યા છે. ખોડલધામ મંદિરમાં કુલ 238 પિલર છે. ખોડલધામ મંદિરની પહોળાઈ 252.5 ફૂટ છે. 298 ફૂટની લંબાઈ સાથે 159 ફૂટ મંદિરની ઉંચાઈ છે. ખોડલધામ મંદિરમાં મા ખોડલની 21 મૂર્તિ સ્થાપિત છે અને જયપુરમાં મા ખોડલની મૂર્તિઓનું નિર્માણ થયુ છે.

Follow Us:
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
રાદડિયા એ કહ્યું-ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઈસ્યૂ થયો, જુઓ-video
રાદડિયા એ કહ્યું-ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઈસ્યૂ થયો, જુઓ-video
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
ચાલુ મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં ઘૂસી જનાર યુવકની ધરપકડ
ચાલુ મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં ઘૂસી જનાર યુવકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">