
વલસાડથી આવી રહેલા સમાચાર મુજબ હમસફર ટ્રેનના જનરેટર કોચમાં આગ લાગી હતી. આગ લાગવાને લઈ સ્થાનિક ફાયર ટીમો તેને વધુ પ્રસરતી અટકાવવા માટે જહેમત ઉઠાવી હતી. વલસાડ નજીક બનેલી આ ઘટનામાં હમસફર એક્સપ્રેસમાં આગ લાગવાને લઈ ટ્રેનના કર્મચારીઓ દ્વારા કાબૂ મેળવવા માટે શરુઆતમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ ટ્રેનના તે બંને કોચને અલગ કરી દેવામાં આવ્યા હતા.
ફાયરની ચાર જેટલી ટીમો પાણીનો મારો ચલાવીને આગને પ્રસરતી અટકાવીને કાબૂ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ વિકરાળ બનતી જઈ રહેલી આગલ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવી હતી. હમસફર એક્સપ્રેસ ટ્રેન મુંબઈ થી અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. આગની ઘટના બાદ તુરત તમામ મુસાફરોને ટ્રેનમાંથી નિચે ઉતારી દેવામાં આવ્યા હતા. સાથે જ બીજા ટ્રેક પર ની ટ્રેનોને પણ રોકી દેવાાં આવી હતી.
Published On - 5:24 pm, Sat, 23 September 23