વડોદરામાં પાણી પુરી બનાવતા સ્થળો પર મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા દરોડા પાડીને ચકાસણી હાથ ધરવામાં આવી છે. બિન આરોગ્યપ્રદ ચિજોને ચેકિંગ કરી રહેલી ટીમે દ્વારા સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો છે. પાણી પુરી બનાવવા માટે અખાદ્ય પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી છે. વાઘોડિયા રોડ પર આવેલા કેટલાક સ્થળે દરોડો પાડતા સડેલા બટાકા હાથ લાગ્યા હતા. જેને તુરત જ નાશ કરવામાં આવ્યો હતો.
પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઈ પાડવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં દરોડા પાડવા દરમિયાન પાણીપુરીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યાંથી પાણી સહિત બટાકા અને અન્ય ચિજોના સેમ્પલ લેવામાં આવ્યા છે. ચોમમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો થવાની સંભાવનાઓને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. ચાર જેટલી ટીમો બનાવીને ચકાસણી કરવામાં આવી રહી છે. ખરાબ બટાકાને ફેંકી દઈ નાશ કરવામાં આવી રહ્યો છે.
Published On - 4:22 pm, Mon, 17 July 23