રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના બનતી હોય છે. ત્યારે વલસાડમાં ફરી એક વાર ચોરીની ઘટના સામે આવી છે. વલસાડના સિવિલ રોડ પર બંધ મકાનમાં ચોરીની ઘટના બની છે. જેમાં અંદાજે 30 હજાર રોકડ સહિત કિંમતી દાગીનાની ચોરી કરવામાં આવી હતી. ચોરી કરવા આવેલા તસ્કર કાચ વાગતા ઇજાગ્રસ્ત થયો છે. તેમજ પોલીસે ચોરી મુદ્દે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજી તરફ આજે મહેસાણાના કડીના સેદરાણામાં પણ તસ્કરો બેફામ બન્યા છે. સેદરાણામાં ગોગા મહારાજના મંદિરમાં ચાંદીની 3 પ્રતિમા ચોરી થઈ હોવાની ઘટના બની છે. 11 દિવસ પહેલા મંદિરમાં સ્થાપિત પ્રતિમા ચોરી કરવામાં આવી છે. જેમાં 6 કિલો ચાંદીની 3 પ્રતિમા ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત CCTVના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.