જૂનાગઢના મજેવડી ગેટમાં આવેલી દરગાહને મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા બાદ તોફાન ઘર્ષણ થવા મુદ્દે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં NCP કોર્પોરેટર અને તેના પુત્રની સંડોવણી હોવાનો ખૂલાસો થયો છે. કોર્પોરેટર અદ્રેમાન પંજા અને તેના પુત્રનું નામ તોફાનમાં સામે આવ્યુ છે. જેથી પોલીસે બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. તોફાન પાછળ બંને પિતા-પુત્રનો શું રોલ હતો તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે.
નોટિસ મામલે થયેલો પથ્થરમારો પૂર્વ આયોજિત કાવતરૂ હોવાની વાતને પોલીસે ફગાવી છે. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીની તપાસમાં તોફાન પૂર્વ આયોજિત કાવતરૂ હોય તેવુ સામે આવ્યુ નથી છતા તે દિશામાં તપાસ કરી રહ્યા છે. પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકનાર શખ્સની પણ અટકાયત કરી છે. અત્યાર સુધીમાં કુલ 59 આરોપીની ધરપકડ કરાઈ છે.
આ પણ વાંચો : Junagadh : પોલીસ સાથેની ઘર્ષણની ઘટનામાં પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા
વાત લીક થઈ તેમા જ તોફાની તત્વોને સમય મળી ગયો અને જ્યારે મનપાની ટીમ નોટિસ ચોંટાડવા ગઈ ત્યારે પણ ટીમને રોકી રાખવામાં આવી હોવાનુ જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે.
જુનાગઢ જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:30 pm, Wed, 21 June 23