AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગર : વઢવાણમાં ઐતિહાસિક વારસા માટે આંદોલન, ગઢની દિવાલ તોડતા સ્થાનિકોનો વિરોધ

સુરેન્દ્રનગર : વઢવાણમાં ઐતિહાસિક વારસા માટે આંદોલન, ગઢની દિવાલ તોડતા સ્થાનિકોનો વિરોધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 9:54 PM
Share

વઢવાણ બ્રહ્મ સમાજની વાડીના આગેવાનો અને સંચાલકો દ્વારા ઐતિહાસિક ગઢની દીવાલ તોડી ત્યાં વાડીનો ગેટ બનાવવાની કામગીરી થનાર હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદેસર રીતે ગઢની દીવાલ તોડવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર, પુરાતન વિભાગ અને મામલતદાર કચેરીના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે.

સુરેન્દ્રનગર (Surendranagar)જિલ્લાના વઢવાણના (Wadhwan city) ઐતિહાસિક ગઢની દીવાલ (wall of the historic fortress)તોડવામાં આવતા ઇતિહાસકારો અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. અને વઢવાણ શહેરના યુવાનો ગઢ બચાવવા અનિશ્ચિત મુદતના ઉપવાસ (Movement) પર ઉતર્યા છે.. જયા સુધી ગઢ તોડનાર આરોપીઓને ઝડપવામાં નહી આવે ત્યા સુધી ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી આંદોલનકારીઓએ ઉચ્ચારી છે. મહત્વનું છે કે વઢવાણ બ્રહ્મ સમાજની વાડીના આગેવાનો અને સંચાલકો દ્વારા ઐતિહાસિક ગઢની દીવાલ તોડી ત્યાં વાડીનો ગેટ બનાવવાની કામગીરી થનાર હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદેસર રીતે ગઢની દીવાલ તોડવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર, પુરાતન વિભાગ અને મામલતદાર કચેરીના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે.

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત સુરેન્દ્રનગર જિલ્લામાં પડયા

ધંધુકાના મોઢવાળા વિસ્તારમાં બેથી ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા યુવક કીશન બોરીયા ભરવાડ પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જેનો સમસ્ત માલધારી સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.સમગ્ર સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ, રતનપર સહિત બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ અને વેપારીઓ સહિત દુકાનદારોને બંધ રાખવા સોશિયલ મીડિયામાં મેસેજ દ્રારા અપીલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સવારથી વઢવાણ શહેરની બજારો ખુલ્લી રહી હતી. જ્યારે સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગરની બજારો બંધ હતી.

આ પણ વાંચો : પૌરાણિક નગર ભરૂચના ટાઉન પ્લાનિગમાં બેચલર ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ટના 25 વિધાર્થીઓ યોગદાન આપશે

આ પણ વાંચો : કચ્છ : અદાણી મુન્દ્રા પોર્ટ પર ભારતનું અત્યાર સુધીનું સૌથી વિશાળ કન્ટેનર જહાજ લંગરાયુ

 

g clip-path="url(#clip0_868_265)">