સુરેન્દ્રનગર- વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરાતા ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીનો માહોલ- જુઓ વીડિયો

|

Feb 02, 2024 | 11:40 PM

સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરાઈ છે. જેને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીનો માહોલ છે. મહાનગરપાલિકાની જાહેરાત થતા વધુ ગ્રાન્ટ મળશે અને તેનાથી વધુ વિકાસના કામો થશે તેવો પાલિકા પ્રમુખે દાવો કર્યો તો સ્થાનિક આગેવાનોએ આ જાહેરાતને ચૂંટણીલક્ષી ગણાવતા કહ્યુ કે હવેથી ભ્રષ્ટાચારના કામો પણ વધશે.

બજેટ દરમિયાન સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાને પણ મહાનગરપાલિકા તરીકે જાહેર કરાઇ છે. ત્યારે ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જાહેરાત થતા વધુ ગ્રાન્ટ મળશે, જેથી શહેરનો વિકાસ વધશે. રોડથી લઇ શાળા, હોસ્પિટલો સુધીની અનેક કામગીરી થશે. ત્યારે નવા સીમાંકન સહિતની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરાશે.

કોઠારીયા, શેખપર, કેરાળા, વાડલા, અણીન્દ્રા સહિતના 12થી વધુ ગામોનો પણ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરાશે. જેના પગલે ગામોનો પણ વિકાસ થશે. મહત્વનું છે, સુરેન્દ્રનગર નગરપાલિકામાં અત્યારે 52 પૈકી 50 સભ્ય ભાજપના છે. ત્યારે પાલિકા પ્રમુખે વધુ વિકાસ થવાના દાવા કર્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગરના સ્થાનિક આગેવાને મહાનગરપાલિકાની જાહેરાતને લઇ નારાજગી દર્શાવી છે અને તેને ચૂંટણી પ્રચાર માટેની કામગીરી ગણાવી. સાથે, હવેથી ભ્રષ્ટાચાર વધવાના અને નગરપાલિકા વિકાસના કામ કરવામાં નિષ્ફળ રહી હોવાના પણ આક્ષેપ કર્યા.

આ પણ વાંચો : કોંગ્રેસ પર કોઈ મમતા બતાવવાના મૂડમાં નથી દીદી, કહ્યુ તેમને 300 સીટો પર લડવુ છે પરંતુ 40 સીટો જીતવામાં પણ છે ફાંફા

આપને જણાવી દઈએ કે આ બજેટમાં નવસારી, મહેસાણા, ગાંધીધામ, સુરેન્દ્રનગર વઢવાણ, મોરબી, વાપી, આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. આ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા તેમાં અનેક વિસ્તારો અને ગામોને આવરી લેવામાં આવશે. રોડ,રસ્તા, પાણી, હોસ્પિટલો અને શાળાઓનો પણ વિકાસ થશે. ધંધા રોજગારના નવા માધ્યમો ઉભા કરાશે. જમીન મકાનોના ભાવ વધશે. અને લોકોને વધુ સુવિધા મળશે.

Input Credit- Sajid Belim- Surendranagar

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video