AHMEDABAD : સિવિલ રેસિડેન્ટ તબીબોની હડતાળ સમેટાઈ, માંગણીઓ પુરી થતા ફરજ પર પરત ફર્યા તબીબો

સિવિલ રેસિડેન્ટ તબીબોની હડતાળને કારણે ઓપીડી અને ઇમરજન્સીમાં 45 ટકા ડોકટરોની અછત ઉભી થઇ હતી, જેને કારણે સારવાર માટે દર્દીઓને ચારથી પાંચ કલાક લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 6:16 AM

AHMEDABAD :છેલ્લા 3 દિવસથી ચાલતી અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ આખરે સમેટાઈ છે. માંગણીઓ પુરી થતા પોતાની તબીબો ફરજ પર પરત ફર્યા છે. નોન એકેડેમિક JRની માંગ સરકારે સ્વીકારતા આખરે આ હડતાળ સમેટાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી રેસિડેન્ટ તબીબો હડતાળ પર હતા. બીજે મેડિકલ કોલેજ, એનએચએલ મેડિકલ કોલેજ, સોલા GMERS મેડિકલ કોલેજ, એલજી, શારદાબેન અને જીસીએસ મેડિકલ કોલેજના બે હજારથી વધુ રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા હતા.

સિવિલ રેસિડેન્ટ તબીબોની હડતાળને કારણે ઓપીડી અને ઇમરજન્સીમાં 45 ટકા ડોકટરોની અછત ઉભી થઇ હતી, જેને કારણે સારવાર માટે દર્દીઓને ચારથી પાંચ કલાક લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. ઓપીડી જ નહીં પણ હડતાળની અસર ઓપરેશનો ઉપર પણ પડી હતી. દર્દીઓને સારવાર અને ઓપરેશન માટે તારીખો આપવામાં આવે છે.જે ઓપરેશન આજે થઈ શકે તેવા દર્દીઓને દસ દિવસ પછીની તારીખ આપવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલમાં મેજર અને માઇનોર સહિતના લગભગ 50 ટકા ઓપરેશનો પણ પાછળ ઠેલવા પડ્યા. 1 ડિસેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલમાં 123 ઓપરેશન કરવામાં આવ્યા હતા. હડતાળને કારણે આ ઓપરેશનની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ હતી. 8 ડિસેમ્બરે સિવિલ હોસ્પિટલમાં માત્ર 69 ઓપરેશનો જ થયા હતા.

આ પણ વાંચો : કોરોના રસીના બે ડોઝ લીધા પછી 9 મહિના સુધી ત્રીજા ડોઝની જરૂર નથી, આ બુસ્ટર નહીં ત્રીજો ડોઝ કહેવાશે

આ પણ વાંચો : Bipin Rawat Death Prediction: એક વર્ષ પહેલા જ થઈ હતી બિપિન રાવતના મૃત્યુની આગાહી, જાણો કોણે કરી હતી ભવિષ્યવાણી ?

 

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">