રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત, આણંદમાં અનરાધાર 12 ઈંચ ખાબક્યો, 70 તાલુકામાં નોંધાયો ધોધમાર વરસાદ

રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત જોવા મળી રહિ છે. ગુજરાતના 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધિકામાં 2 કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે રાજકોટના જેતપુરમાં 2 ઇંચ વરસ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 8:34 PM

રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત જોવા મળી રહિ છે. ગુજરાતના 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ (heavy rainfall) નોંધાયો છે. રાજકોટના લોધિકામાં 2 કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે રાજકોટના જેતપુરમાં 2 ઇંચ વરસ્યો હતો. બીજી તરફ સુરતના ઓલપાડમાં દિવસ દરમિયાન 4 ઇંચ વરસાદ પડ્યો હતો. તાપીના ડોલવણમાં સાડા ત્રણ ઇંચ, વલસાડના પારડીમાં 3 ઇંચ, જુનાગઢના મેંદરડા, રાજકોટના ગોંડલમાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

અષાઢી બીજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ભરૂચ અને નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. સૌથી વધુ સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. સુરત શહેર અને ઉમરપાડામાં 7 ઈંચ, કામરેજમાં 8 ઈંચ અને માંગરોળમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કીમ ચાર રસ્તા પર ભારે વરસાદને પગલે પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા. આ તરફ ભરૂચ, નવસારી અને તાપીમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી.

બીજી તરફ આણંદમાં અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વન તળાવ વિસ્તારમાં એક યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત થયું છે જ્યારે ચાર જેટલા પશુઓનું પણ પાણીમાં ડૂબી જતા મોત થયા છે. તો 100 જેટલા પરિવારોની ઘરવખરી પાણીમાં ડૂબી જતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. આણંદના બોરદસમાં સૌથી વધુ 12 ઈંચ જેટલો વરસાદ પડ્યો. જેને લઈને પ્રથમ વરસાદે જ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. તો નદી-નાળા અને તળાવ પણ છલકાયા છે. આ ઉપરાંત આંકલાવમાં 3 ઈંચ, તારાપુરમાં 2 ઈંચ, સોજીત્રા અને પેટલાદમાં 2 ઈંચ તો આણંદ, ઉમરેઠ અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">