Gujarati Video : જુનાગઢમાં કોરોના રસીકરણના નામે કૌભાંડ ! જયા બચ્ચન, મહિમા ચૌધરી અને મહમદ કૈફના નામે સર્ટિફિકેટ બનાવાયા

Junagadh : રસીકરણના સર્ટિફિકેટ મળવાની સમગ્ર ઘટના અનેક સવાલોને જન્મ આપનારી છે. અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે, શું 100 ટકા લક્ષ્યાંક દર્શાવવા માટે કૌભાંડ આચરવામાં આવ્યું છે,

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 5:04 PM

Junagadh : શું અભિનેત્રી જયા બચ્ચન અને જુહી ચાવલા જૂનાગઢમાં રહે છે ? શું મહિમા ચૌધરી અને ક્રિકેટર મોહંમદ કૈફ કોરોનાની રસી મુકાવવા માટે છેક જૂનાગઢ સુધી આવ્યા ? સવાલ તો એટલા માટે થાય છે કે, કેમ કે તેમણે કોરોનાની રસી જૂનાગઢમાં મુકાવી હોય તેના સર્ટિફિકેટ મળ્યા છે. જૂનાગઢના ભેંસાણ અને વિસાવદરના ગામડાઓમાં જ્યારે કાર્યવાહી હાથ ધરાઈ. તો ફિલ્મી હસ્તીઓ અને ક્રિકટરોના કોરોના સર્ટિફિકેટ મળ્યા. જે કોરોના વેક્સીનેશનના કૌભાંડની ચાડી ખાય છે. આશંકા તો એવી છે કે, 100 ટકા રસીકરણ દર્શાવવા માટે કોઈના પણ નામે રસી આપી દેવાનું સર્ટિફિકેટ બનાવી દેવાય છે. એટલે રસીકરણની કામગીરી દેખાડી શકાય. જોકે આ સમગ્ર કૌભાંડ સામે આવતા જ તંત્ર હરકતમાં આવી ગયું છે. હાલ તો કેસની તપાસ કરવા માટે ટીમની રચના કરી દેવાઈ છે.. જેમા 5 સભ્યોનો સમાવેશ થાય છે. જોકે આ ટીમમાંથી જિલ્લા આરોગ્ય અધિકારીને દૂર રખાયા છે. જેઓ તત્કાલિન તાલુકા આરોગ્ય અધિકારી હતા.

રસીકરણના સર્ટિફિકેટ મળવાની સમગ્ર ઘટના અનેક સવાલોને જન્મ આપનારી છે. અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે, શું 100 ટકા લક્ષ્યાંક દર્શાવવા માટે કૌભાંડ આચરવામાં આવ્યું છે, શું રસીકરણના સર્ટિફિકેટ મામલે ફરજ પરના તબીબો અજાણ હતા, અત્યાર સુધી કેમ તંત્રના ધ્યાને સમગ્ર મામલો ન આવ્યો,વહીવટી તંત્રની જાણ બહાર કેટલા સર્ટિફિકેટ નીકળી ગયા હશે, શું કોઇ પ્રક્રિયા વગર જ બારોબાર સર્ટિફિકેટ કાઢી દેવાયા,શું રસીકરણ સર્ટિફિકેટ કૌભાંડ અંગે તંત્ર કરશે કોઇ તપાસ,ફિલ્મસ્ટાર અને ક્રિકેટરના સર્ટિફિકેટ કાઢવા પાછળ શું હોઇ શકે ઇદારો. ત્યારે જૂનાગઢનું તંત્ર આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે તે જોવું રહ્યું.

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">