દરેક વ્યક્તિને પોતાના ઘરનું ઘર બનાવવાનું સપનું હોય છે. દરેક વ્યક્તિનું સપનું હોય છે કે બજેટ અને વિસ્તારને અનૂકુળ પોતાનું ઘર હોય. પરંતુ વધતી જતી મોંઘવારીના કારણે ઘણા લોકોનું આ સપનું અધૂરું રહી જતું હોય છે અથવા તો એ સપનું પૂરું કરવા માટે ઉધાર કરીને પોતાનાં માથે વધુ એક બોજ નાખતા હોય છે. ત્યારે લોકોને સરળતાથી અને બજેટમાં ઘર મળી રહે તે માટે અમદાવાદના (Ahmedabad) નરોડા વિસ્તારમાં ટીવી 9 દ્વારા ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સ્પો-2022નું (TV 9 Property expo 2022)આયોજન કર્યું છે જેને મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi) ખુલ્લો મુક્યો હતો.
મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આ એક્સ્પોને ખૂલ્લો મૂક્યો હતો. 15 એપ્રિલથી લઇને 17 એપ્રિલ સુધી ચાલનારા પ્રોપર્ટી એક્સ્પોમાં 20 જેટલા અલગ-અલગ બિલ્ડર ગ્રુપના સ્ટોલ છે અને તમામ બિલ્ડર્સે લોકો માટે આકર્ષક સ્કિમ પણ રાખી છે. આ તમામ સ્ટોલની મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકાત લીધી હતી. તો AMTS ચેરમેન વલ્લભભાઈ પટેલે ટીવી 9 દ્વારા આયોજીત પ્રોપર્ટી શૉની મુલાકાત લીધી. તેમણે ટીવીનાઈન આયોજીત પ્રોપર્ટી એક્સ્પોના વખાણ કર્યા હતા. તેમણે અલગ-અલગ સ્ટોલની મુલાકાત લઈ કેવા પ્રકારના ઘર અને બિલ્ડર્સ દ્વારા કેવી સ્કિમ રાખવામાં આવી છે તેની માહિતી લીધી. પ્રોપર્ટી એક્સ્પોમાં આવેલા અન્ય મુલાકાતીઓએ પણ મકાનની અલગ-અલગ સ્કિમોની માહિતી લીધી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો