Surat: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામેના માનહાની કેસનો ચુકાદો 16 માર્ચે જાહેર કરાશે

|

Feb 26, 2022 | 11:40 PM

આગામી 16 માર્ચે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં આવશે. મહત્વનું છે કે વર્ષ 2019માં રાહુલ ગાંધીએ એક સભામાં મોદી વિરૂદ્ધ ટીપ્પણી કરી હતી.. જેને પગલે ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ મોઢ વણિક સમાજની બદનક્ષીનો કેસ સુરત કોર્ટમાં દાખલ કર્યો હતો.

સુરતની(Surat)  કોર્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)  સામેના માનહાની(Defamation) કેસનો ચુકાદો 16 માર્ચે જાહેર કરાશે. આ માનહાની કેસમાં સુનાવણી ગતરોજ પૂર્ણ થઇ ચૂકી છે. જોકે કોર્ટે ચુકાદો પેન્ડિંગ રાખ્યો છે. અને 16 માર્ચે રાહુલ ગાંધીની હાજરીમાં કોર્ટ ચુકાદો સંભળાવશે.. જેના માટે આગામી 16 માર્ચે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં આવશે. મહત્વનું છે કે વર્ષ 2019માં રાહુલ ગાંધીએ એક સભામાં મોદી વિરૂદ્ધ ટીપ્પણી કરી હતી.. જેને પગલે ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ મોઢ વણિક સમાજની બદનક્ષીનો કેસ સુરત કોર્ટમાં દાખલ કર્યો હતો.

શું છે સમગ્ર કેસ

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. જેમા અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યાં હતાં એમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યાં હતાં. ત્યારે રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે.

જેના પગલે મોદી અટક ધરાવતાં સમાજમાં આક્રોશ વ્યાપ્યો હતો. ત્યારે સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો.જ્યારે કેસ કરનાર પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે અમારા સમાજના 13 કરોડ લોકો દેશભરમાં વસવાટ કરે છે. એ દરેક મોદીને ચોર કહીને અપમાન કરાયું હતું, જેથી આ માનહાનિનો કેસ કર્યો છે.

આ પણ વાંચો : Kutch : BSF પશ્ચિમી કમાન્ડના ADG ગુજરાતની બે દિવસની મુલાકાતે, કચ્છ બોર્ડરની સુરક્ષાનુ નિર્દેશન કર્યુ

આ પણ વાંચો : Rajkot : ધોરાજીના રામપરામાં ધારાસભ્ય લલિત વસોયા ગુમ થયાના પોસ્ટર્સ લાગ્યા 

Next Video