સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે ચૂવાળીયા કોળી સમાજના ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજે વિરોધ કર્યો છે. તળપદા કોળી સમાજે ભાજપ પર અવગણનાનો આરોપ લગાવ્યો છે. ભાજપ નિર્ણય ન બદલે તો અન્ય પક્ષના તળપદા કોળી સમાજના ઉમેદવારને જીતાડવા સમાજના આગેવાનોએ હાકલ કરી છે.
તળપદા કોળી સમાજના સંમેલનમાં પૂર્વ સાંસદ સોમાભાઇ ગાંડા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ હાજર રહ્યા હતા. સોમાભાઇ ગાંડાએ સ્પષ્ટતા કરી હતી કે એ ટિકિટ માગવા નહીં જાય પણ જો કોંગ્રેસ ટિકિટ આપશે તો તે જરૂર ચૂંટણી લડશે. ઋત્વિક મકવાણાએ પણ તળપદા કોળી સમાજના આગેવાનોની વાત કોંગ્રેસ મોવડી મંડળ સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી.
( વીથ ઈનપુટ – સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર )
Published On - 10:21 am, Wed, 27 March 24