લોકસભા બેઠક સાબરકાંઠા પર ભાજપને શરુઆતથી જ કકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા પુરુષ ઉમેદવારને ટિકિટ આપી હતી. પરંતુ તેઓની અટકને લઈને વિવાદ શરુ થયો હતો. જોકે આ દરમિયાન તેઓએ ચૂંટણી લડવાની અનિચ્છા સોશિયલ મીડિયા મારફતે જાહેર કરી હતી. ત્યાર બાદ તેમના સમર્થકોએ વિરોધના સૂર રજૂ કર્યા હતા. પોસ્ટર શરુ થયા હતા અને વિરોધ કરવાની શરુઆત પણ થઇ હતી.
આ દરમિયાન મોટા ટોળા સ્વરુપ ભીખાજીના સમર્થકો અને આગેવાનો મોડાસા સ્થિતિ જિલ્લા ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા. જ્યાં મોટા ટોળા સ્વરુપ પહોંચેલ સમર્થકોએ 2000 કાર્યકરો ભાજપમાંથી રાજીનામુ ધરી રહ્યાનો પત્ર આપ્યો હતો. આમ ભાજપમાં રોષની સ્થિતિ જોવા મળી હતી. આ દરમિયાન ભીખાજીએ પોતે ભાજપ સાથે છે અને તેઓએ તેમના સમર્થકોને સમજાવીને ચૂંટણીમાં કાર્ય કરશે.
Published On - 4:50 pm, Tue, 26 March 24