રાજકોટના ઉપલેટાની સગીરા સાથે થયેલા દુષ્કર્મના કેસમાં પોલીસે તપાસ ધમધમાટ આગળ વધાર્યો છે. ઉપલેટાની સગીરા સાથે દોઢ વર્ષ પહેલાં દુષ્કર્મ થયું હતું, જે બાદ સગીરાએ અધૂરા મહિને મૃત બાળકને જન્મ આપ્યો હતો. મૃત બાળકની તપાસને લઈને ઉપલેટા કબ્રસ્તાન ખાતે અધિકારીઓની ટીમ પહોંચી હતી. અને ફોરેન્સિક તપાસ માટે કબર ખોદી મૃત બાળકના DNA મેળવવા તપાસ હાથધરી હતી. દુષ્કર્મના કેસમાં DNA તપાસને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને દુષ્કર્મ આચરનાર આરોપીને પકડવા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.
થોડા દિવસો અગાઉ જામનગરમાં 5 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ચોકલેટની લાલચ આપી નરાધમ બાળકીને ઘરે લઈ ગયો હતો. અને 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને શારીરિક પીડા થતા પરિવારજનો સામે સમગ્ર મામલો સામે આવ્યો હતો. અને પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની ગણતરીની કલાકોમાં અટકાયત કરવામાં આવી હતી. દુષ્કર્મ આચરનાર વિશ્વકર્મા નામનો આરોપી મુળ નેપાળનો વતની છે.જેના પર પોકસો એક્ટ અને દુષ્કર્મની એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Published On - 8:21 am, Wed, 25 January 23