તો આ તરફ પવિત્ર શક્તિપીઠ પાવાગઢ (Pavagadh) ખાતે માનવમહેરામણ ઉમટ્યું. દિવાળીના પર્વે મહાકાળી માના દર્શન કરવા લાખોની સંખ્યામાં માઇભક્તોએ પાવાગઢ ખાતે ભીડ જમાવી. જ્યાં નજર પડે ત્યાં ભક્તોની (Devotee) ભીડ જોવા મળી રહી છે. દિવાળીના પર્વે મહાકાળી માતાના દર્શનનું અનેરૂ મહત્વ છે, ત્યારે વહેલી સવારથી જ માઇભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા છે.
મહુડીમાં કાળી ચૌદસના દિવસે મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહુડી ગુજરાતનું (Gujarat) એકમાત્ર એવું મંદિર છે, જે તેજા કાળી ચૌદસના દિવસે જ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. યજ્ઞ સમયે મહુડીના મંદિરે 108 વાર ઘંટ વગાડવામાં આવે છે. દરેક ઘંટના નાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવે છે. આહુતિના સમયે મંદિર પરીસરમાં હાજર ભક્તો દરેક આવતી સમયે દોરી પર એક ગાંઠ બાંધે છે. આ દિવસ શ્રદ્ધાળુઓ માટે ખાસ હોય છે.