અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટયાર્ડ ખાતે ‘જળ સંમેલન’ યોજાયું. જો કે, અહીં સી.આર. પાટીલના આ નિવેદનથી રાજકીય હિલચાલ વધી ગઈ. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સી.આર. પાટીલે જાહેર મંચ પરથી કહ્યું કે, ડેરની સીટ માટે વાત કરી હતી. હીરા સોલંકી પણ બેઠક બદલવા તૈયાર હતા, સામેથી કહ્યું હતું છતાં તેઓ માન્યા નહીં.
મહત્વનું છે કે, 2017માં અંબરીશ ડેર કોંગ્રેસની ટિકિટથી ધારાસભ્ય બન્યા હતા. જે બાદ 2022માં પરાજય થયો અને ભાજપમાં જોડાયા. આમ તો તેમની પક્ષમાં નિષ્કિયતા દેખાતી હતી. પરંતુ હવે નેતાઓ સાથે તેમની વધતી નિકટતા રાજકીય વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનિય છે કે અમરીશ ડેર કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા છે, અગાઉ કોંગ્રેસમાંથી તેઓ રાજુલા બેઠક પરથી ચૂંટાયા હતા.
Input Credit- Jaydev Kathi- Amreli
Published On - 9:05 pm, Sun, 1 March 26