Breaking News: પાટડીમાં ગૌહત્યા કરતી દુકાનો પર ફર્યુ બુલડોઝર, ગેરકાયદે કતલખાના અને નોનવેજની દુકાનો ધ્વસ્ત- Video

Breaking News: પાટડીમાં ગૌહત્યા કરતી દુકાનો પર ફર્યુ બુલડોઝર, ગેરકાયદે કતલખાના અને નોનવેજની દુકાનો ધ્વસ્ત- Video

| Updated on: Sep 12, 2026 | 10:06 PM

સુરેન્દ્રનગરના પાટડીમાં કથિત ગૌહત્યા અને ગેરકાયદે નોનવેજ દુકાનોને લઈને તંત્રએ કડક કાર્યવાહી કરી છે. હિન્દુ સમાજની લાગણી દુભાતા વિરોધ રેલી બાદ તંત્રે ગેરકાયદે કતલખાના અને દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે નોનવેજની દુકાનો અને કથિત ગૌહત્યાના મામલે વિસ્તારમાં તંત્રની તવાઈ જોવા મળી. હિન્દુ સમાજના લોકોની લાગણી દુભાતા એક વિરોધ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ બાદ તંત્રએ ગેરકાયદેસર કતલખાના અને નોનવેજની દુકાનો સામે કડક પગલાં લીધા.

બુલડોઝર એક્શન હેઠળ ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યા છે. પાટડીમાં આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મામલતદારની હાજરીમાં તંત્ર દ્વારા સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. અગાઉ આ ગેરકાયદેસર દુકાનોને તોડવા માટે નોટિસો આપવામાં આવી હતી.

ગૌહત્યા સંબંધિત મામલે પોલીસે પણ તપાસ તેજ કરી છે અને એક મહિલા સહિત કુલ સાત લોકોને ઝડપી લીધા હોવાની માહિતી સામે આવી છે. કાયદેસર મંજૂરી વિના ચાલતી દુકાનો સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત હાજરીમાં આ કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

Breaking News: ટેરિફની ધમકી સામે એકજૂથ થયા બ્રિક્સ દેશો, કહ્યુ આવી દાદાગીરી હવે વધુ નહીં ચલાવી લેવાય

Follow Us
Loading...
Unable to load recommendations.