નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !

છોટઉદેપુર જિલ્લામાં નળ સે જળ યોજના કાગળો સુધી મર્યાદિત રહી ગઈ હોવાની સ્થિતિ સામે આવી છે, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
Nal Se Jal Scheme Under Scrutiny in Chhota Udaipur Bhoradha Village
| Updated on: Feb 13, 2026 | 7:15 PM

છોટઉદેપુર જિલ્લામાં નળ સે જળ યોજના માત્ર કાગળ પર જ ચાલી રહી હોય તેવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના હોવા છતાં ગામડાંઓ સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

કેન્દ્ર સરકારની જલ જીવન મિશન હેઠળ દરેક ઘરમાં નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવાનો હેતુ રાખવામાં આવ્યો હતો. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના ભોરધા ગામમાં પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઘરોમાં નળ તો લગાવવામાં આવ્યા છે, પરંતુ આજદિન સુધી તેમાં પાણી આવ્યું નથી.

લગભગ 5 હજારની વસ્તી ધરાવતા ભોરધા ગામમાં લોકો પહેલા હેન્ડપંપ પર નિર્ભર હતા. જોકે હેન્ડપંપ બગડી જતા તેની મરામત અંગે માત્ર વચનો આપવામાં આવ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. યોગ્ય કાર્યવાહી ન થતાં હાલ ગ્રામજનોને દૂર ખેતરોમાં જઈ કૂવા અથવા બોરવેલમાંથી પાણી લાવવાની મજબૂરી ઊભી થઈ છે.

પંચાયતના સભ્યોએ દાવો કર્યો છે કે પાણી સમસ્યા અંગે સંબંધિત અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ ઠોસ પગલાં લેવાયા નથી. અધિકારીઓ પોતાની જવાબદારીથી પલ્લો ઝાડતા હોવાના આક્ષેપો વચ્ચે ગ્રામજનોમાં અસંતોષ વધ્યો છે.

મહત્વનું છે કે કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણની જવાબદારી સંબંધિત વિભાગો અને સ્થાનિક તંત્ર પર હોય છે. તેમ છતાં ભોરધા ગામમાં નળ સે જળ યોજના અસરકારક રીતે અમલમાં ન આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલ સંબંધિત અધિકારીએ પંચાયત સભ્યો સાથે ચર્ચા કરી સમસ્યાનો નિકાલ લાવવાનો વિશ્વાસ આપ્યો છે.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો