નવસારીમાં ‘સાંસદ દિશા દર્શન’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન, પાટીલે આદર્શગામ ચીખલીથી કરાવ્યો શુભારંભ
PM મોદીની સ્વછતાની મુહિમને ધ્યાને રાખીને સમગ્ર દેશ સ્વચ્છતા અંગે જાગૃત થયો છે. ત્યારે નવસારી ખાતે ‘સાંસદ દિશા દર્શન’ કાર્યક્ર્મ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. CR પાટીલે આદર્શગામ ચીખલીથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
સ્વચ્છતા માટે જન આંદોલનનું નેતૃત્વ કરતા વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારે આ વાતએ લઈ નવસારીમાં ‘સાંસદ દિશા દર્શન’ અંતર્ગત સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી અભિયાનનો શુભારંભ કરાયો છે.
આ પણ વાંચો : નવસારી : ગણદેવીના યુવકની અમેરિકામાં હત્યા, ગોળી મારનાર શખ્સે પણ કરી આત્મહત્યા
નવસારીના સાંસદ સી. આર. પાટીલે ચીખલી ગામેથી સ્વચ્છતા સંબંધિત વાહનોને લીલી ઝંડી આપી અને સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી અભિયાનને વેગવંતુ કરવામાં આવ્યું. સમગ્ર દેશમાં ઠેર ઠેર સ્વચ્છતાને લઈ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લો પણ આ સ્વચ્છતાને લઈ અગ્રણી રહયો છે.
Follow Us
